રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મનમુકીને વરસ્યા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લીલા દુકાળ જેવી સ્થિતિ છે તો નદી, નાળા, સરોવર છલકાઇ ગયા છે ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાલડી ગામમાં તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
ભાવનગર ગારિયાધારના પાલડી ગામે બે બાળકો ડૂબ્યા
તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી જતા મોત
12 અને 14 વર્ષીય બાળકોના ડૂબી જતાં મોત
પ્રાપ્ત થતાં અહેવાલો પ્રમાણે ગારિયાધાર તાલુકાના પાલડી ગામમાં રહેતાં યુગ અને નયન નામના બે બાળકો ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા. જો કે, બંને બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું કમકમાટીભરેલું ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થળ પર દોડી આવ્યાં હતા અને તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ કાફલો અને 108ની ટીમ આવી પહોંચી
જો કે, આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ કાફલો અને 108ની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની આકરી મહેનત બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતાં. નાના એવાં પાલડી ગામમાં બે બાળકોના ડૂબી જવાથી મોત થતાં ગમગીની પ્રસરી ગઈ છે. હાલ તો પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.