ધાંગધ્રા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં ધાંગધ્રા નગરપાલિકાના ભાજપના 2 સદસ્યોએ રાજીનામા આપ્યા છે. મળતી માહિતી મુજબ વોર્ડ ૩ના ચૂંટાયેલા ભાજપના 2 સદસ્યોએ રાજીનામા ધર્યા છે.
ધાંગધ્રા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં ધાંગધ્રા નગરપાલિકાના ભાજપના 2 સદસ્યોએ રાજીનામા આપ્યા છે. મળતી માહિતી મુજબ વોર્ડ ૩ના ચૂંટાયેલા ભાજપના 2 સદસ્યોએ રાજીનામા ધર્યા છે.
જીતુ કપાસી અને મણીલાલ પ્રજાપતિ નામના સદસ્યોએ રાજીનામા આપ્યા છે. તેમજ વોર્ડમાં પાણી અને રોડ સહિતના કામો ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે. તો પાલિકાના સત્તાધીશો ભેદભાવ રાખતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
મહત્વનું છે કે, ભાજપ શાસિત પાલિકામાં જ ભાજપના સદસ્યોએ જનહિતના કામો કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ કર્યો છે.