દેશના ઉપરાષ્ટ્રપતિ અકાઉન્ટથી ટ્વિટરે બ્લૂ ટીક હટાવ્યું છે જેને લઈને અનેક લોકો સોશ્યલ મીડિયા પર વિરોધ દેખાડી રહ્યા છે
દેશના ઉપરાષ્ટ્રપતિ અકાઉન્ટથી ટ્વિટરે બ્લૂ ટીક હટાવ્યું
સોશ્યલ મીડિયા પર લોકો રોષે ભરાયા
ટ્વિટર પર 'Vice President of India' કરી રહ્યું છે ટ્રેન્ડ
UPDATE : ટ્વિટરે આપી સ્પષ્ટતા
Account inactive since July 2020. As per our verification policy,Twitter may remove blue verified badge&verified status if account becomes inactive. Badge has been restored: Twitter spox on blue tick removal from Vice President of India M Venkaiah Naidu's personal Twitter handle pic.twitter.com/7WhpZP8OEN
સોશ્યલ મીડિયા વેબસાઈટ ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર એકાઉન્ટને અનવેરિફાઈડ કર્યું છે. તેના કારણે તેમના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટી ચૂક્યું છે. જ્યારે આ ન્યૂઝ સામે આવ્યા કે તરત જ 'Vice President of India' ટ્રેન્ડ થવા લાગ્યું છે.
શું કહ્યું ભાજપના નેતાએ
ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના અકાઉન્ટમાંથી બ્લૂ ટીક હટાવી દીધું છે જેને લઈને સોશ્યલ મીડિયામાં લોકો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ટ્વિટર પર 'Vice President of India' ટ્રેન્ડ કરી રહ્યું છે. આ માટે ભાજપ નેતા સુરેશ નાખુઆએ પણ વિરોધ કરીને ટ્વિટ કર્યું છે. તેઓએ કહ્યું છે કે ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના અકાઉન્ટમાંથી બ્લૂ ટીક શા માટે હટાવ્યું. આ ભારતીય સંવિધાન પર હુમલો છે. કેટલાક લોકોનો એ પણ દાવો છે કે તેમનું એકાઉન્ટ એક્ટિવ ન હતુ માટે તેને અનવેરિફાઈડ કરી દેવાયું છે.
— Suresh Nakhua (𝐏𝐥 𝐰𝐞𝐚𝐫 𝐌𝐀𝐒𝐊) (@SureshNakhua) June 4, 2021
ઉલ્લેખનીય છે કે ટ્વિટર એકાઉન્ટના એક્ટિવ હોવાનો મતલબ છે કે તમે તમારા એકાઉન્ટને છેલ્લા એક મહિનાથી સતત યૂઝ કરી રહ્યા છો. એટલે કે તે સંપૂર્ણ રીતે એક્ટિવ છે. એક યૂઝરે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ઉપરાષ્ટ્રપતિએ 23 જુલાઈ 2020 બાદ કંઈ ટ્વિટ કર્યું નથી. તેનો અર્થ એ છે કે તેમનું ખાતુ 10 મહિનાથી નિષ્ક્રિય છે. ટ્વિટરની નીતિ અનુસાર બ્લૂ ટીક સ્વચાલિત રીતે નિષ્ક્રિય એકાઉન્ટથી હટાવી દેવામાં આવે છે. આ માટે ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટથી બ્લૂ ટીક હટાવી દેવાઈ છે.