UNGAમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલું સંબોધન ટ્વીટર પર નંબર એક પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યારે ઇમરાન ખાનનું સંબોધન ટ્વીટર પર ભારે મજાક બન્યું છે. જેના કારણે તેઓ બીજા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે, પીએમ મોદીનું સંબોધન પાંચમાં નંબર પર છે. ઈમરાન ખાને પોતાના સંબોધનમાં પીએમ મોદીને પ્રાઇમ મિનિસ્ટરની જગ્યાએ પ્રેસિડેન્ટ કહેવા પર ઇમરાન ખાનની ખૂબ મજાક ઉડી રહી છે.
પીએમ મોદીનું UNGA ભાષણ ટ્વિટર ટ્રેન્ડમાં 5મા નંબરે
ઈમરાન ખાને પીએમ મોદીને ગણાવ્યા પ્રેસિડન્ટ
ટ્વિટર પર ઉડી રહી છે ઈમરાન ખાનની ભારે મજાક
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભાષણ આપ્યું તે પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનનું ભાષણ બીજા નંબરે છે. તો ભારતના પીએમ મોદીનું ભાષણ 5માં નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે.
ટ્વિટર પર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપના ભાષણને લઈને યૂઝર્સે કરી આવી ટ્વિટ
પીએમ મોદીના વખાણ કરતાં એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે 'પીએમ મોદીના ભાષણને સદીઓથી રાજકીય રૂપમાં સદીઓ સુદી યાદ રાકવામાં આવશે. એક તરફ જ્યાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વિના આતંકવાદ પર નિશાન સાધ્યું તો બુદ્ધ અને એક પ્રાચીન તમિલ કવિનો ઉલ્લેખ કરીને આતંકની વિરુદ્ધ લડાઈનો સંદેશ પણ આપ્યો છે.' અન્ય એક યૂઝરે લખ્યું છે કે 'સંયુક્ત રાષ્ટ્રમાં ટ્રંપના ભાષણને સાંભળીને લાગે છે કે જાણે તેઓ ચેવાબેકા કિંગ લેયરની ભૂમિકા નિભાવવાની કોશિશ કરી રહ્યા છે. આ થોડું વિચિત્ર લાગી રહ્યું છે. '
ઈમરાન ખાનની ઉડી રહી છે મજાક
સૂત્રોના આધારે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનને લીને ટ્વિટર યૂઝર્સ લખી રહ્યા છે કે "ઈમરાન ખાનનું ભાષણ ત્રણ વાક્યોમાં જાણો. 1. મને રૂપિયા જોઈએ છે. 2. હું તમને પાછા નહીં આપું અને 3. હું દુનિયાને બર્બાદ કરી દઈશ."
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ સમયે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રાઈમ મિનિસ્ટરને બદલે પ્રેસિડન્ટ કહેવા માટે ઈમરાનની ખૂબ મજાક ઉડી રહી છે. એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું છે કે ઈમરાન પીએમ મોદીથી એટલા ડરી ગયા છે કે તેઓએ પીએમ મોદીને પ્રેસિડન્ટ બનાવી દીધા. અન્ય એક યૂઝરે લખ્યું કે મોદી ભારતના નવા રાષ્ટ્રપતિ છે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાને પોતાના સંબોધનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો અને ભારતને નિશાન બનાવ્યું. તેનાથી ઉલટું પીએમ મોદીએ વિશ્વને આતંકવાદની વિરુદ્ધ એકતાનો અને શાંતિનો સંદેશ આપ્યો.
શું કહ્યું હતું પીએમ મોદીએ?
પીએમ મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સંબોધનમાં કહ્યું કે ભારતે દુનિયાને યુદ્ધનો નહીં પણ શાંતિનો બુદ્ધનો સંદેશ આપ્યો છે. અમે આતંકવાદ વિરુદ્ધ દુનિયાને ચેતવીએ છીએ તો અમારા અવાજમાં ગંભીરતાની સાથે આક્રોશ પણ છે. પીએમએ આક્રોશનો અર્થ પાકિસ્તાન સમર્થિત તત્વો અને ભારતમાં આતંકવાદની ઘટનાઓને લઈને કર્યો હતો. તેઓએ વિશ્વને માનવતા માટે આતંકવાદની વિરુદ્ધ એક થવાનું સંબોધન કર્યું હતું.