ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી લીધા બાદ RSSના પ્રમુખ મોહન ભાગવત સહિત ઘણા બધા નેતાઓના અકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી લીધું હતું, પણ સરકારે કડક વલણ અપનાવતા હવે તમામ નેતાઓના બ્લૂ ટીક ફરી પાછા લગાડવામાં આવ્યા છે.
પહેલા અનવેરીફાય અને પછી વેરીફાય કર્યું
બીજા ઘણા RSS નેતાઓના અકાઉન્ટમાંથી બ્લૂ ટીક હજી હટાવવામાં આવ્યા હતા
ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલતું શીત યુદ્ધ હવે ગંભીર બની ગયું
ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી લીધા બાદ RSSના પ્રમુખ મોહન ભાગવત સહિત ઘણા બધા નેતાઓના અકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી લીધું હતું, પણ સરકારે કડક વલણ અપનાવતા હવે તમામ નેતાઓના બ્લૂ ટીક ફરી પાછા લગાડવામાં આવ્યા છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી લીધાના થોડાક જ કલાકમાં બ્લૂ ટીક પાછું લગાડી દેવામાં આવ્યું. પણ ત્યારબાદ RSS ના પ્રમુખ મોહન ભાગવત અને બીજા ઘણા બધા RSSના નેતાઓના બ્લૂ ટીક હટાવી લેવામાં આવ્યા હતા. પણ શનિવાર બપોર પછી આ બધા જ નેતાઓના બ્લૂ ટીક પાછા આવી ગયા છે. માનવામાં આવે છે કે કેન્દ્ર સરકારે ટ્વિટર પ્રત્યે ઘણું કડક વલણ અપનાવ્યું હતું તેના કારણે આ પરિણામ આવ્યું છે.
જાણો શું હતો સમગ્ર મામલો
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ બાદ ટ્વિટર પરથી બ્લૂ ટીક હટાવ્યા બાદ RSSના પ્રમુખ મોહન ભાગવતના ટ્વિટર અકાઉન્ટમાંથી બ્લૂ ટીક હટાવી લીધું છે. આ લિસ્ટમાં મોહન ભાગવતની સાથે સાથે ઘણા બધા RSS નેતાના અકાઉન્ટમાંથી આ રીતે બ્લૂ ટીક હટાવી લેવામાં આવી છે.
પહેલા અનવેરીફાય અને પછી વેરીફાય કર્યું
આજે સવારે ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લૂ ટીક હટાવી લીધું હતું અને થોડા સમય પછી પાછું બ્લૂ ટીક આપી દીધું. જ્યારે ટ્વિટરને આ બાબત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જો લાંબા સમય સુધી અકાઉન્ટમાં લૉગ ઇન ના કર્યું હોય તો આવું કરવામાં આવી શકે છે. આઈ. ટી મંત્રાલયે આ બાબતને એકદમ ગંભીરતાથી લીધી હતી. કારણકે ટ્વિટરે ઘણા બધા નેતાના વેરીફાય અકાઉન્ટમાંથી બ્લૂ ટીક હટાવી લીધું છે.
બીજા ઘણા RSS નેતાઓના અકાઉન્ટમાંથી બ્લૂ ટીક હજી પણ હટી શકે છે
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સિવાય બીજા ઘણા RSS નેતાઓના અકાઉન્ટમાંથી બ્લૂ ટીક હજી પણ હટી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રસારણ મંત્રાલયે આ બાબત પર નારાજગી વ્યકત કરી છે. પણ ટ્વિટરે આ પાછળનું કારણ સ્પષ્ટ કરી દીધું છે પણ આ વાત આટલી સરળતાથી પતી જશે એવું લાગતું નથી. આ પહેલા પર કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી આ બાબતે શીત યુદ્ધ ચાલી રહ્યું છે.
ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલતું શીત યુદ્ધ હવે ગંભીર બની ગયું
ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સિવાય RSSના ઘણા મોટા નેતાઓના ટ્વિટર અકાઉન્ટમાંથી પણ બ્લૂ ટીક હટાવી તેમને અનવેરીફાય કરી દીધા છે. જેમાં આરએસએસન ના કાર્યવાહક સુરેશ સોની અને સુરેશ જોશીનું નામ સામેલ છે. બીજા પણ ઘણા નેતાઓના નામ આમાં સામેલ થઈ શકે છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અકાઉન્ટમાં થોડા સમય પછી પાછું બ્લૂ ટીક આપી દીધું