ટ્વીટર દ્વારા રાહુલ ગાંધીનું એકાઉન્ટ ફરી રિએક્ટિવ કરી દેવામાં આવ્યું છે. અગાઉ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓના 5 હજાર જેટલા એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા હતા. જેથી ભારે હોબાળો થયો હતો.
ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ રિએક્ટિવ કર્યું
અગાઉ રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતુું
કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ બ્લોક થતા ભારે હોબાળો થયો હતો
રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. જોકે આજે તેમનું તેમનું એકાઉન્ટ ફરીથી રિએક્ટિવ કરી દેવામાં આવ્યું છે. એકાઉન્ટ બ્લોક કર્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટર પર બરાબરના આક્ષેપ કર્યા હતા. તેમણે એવું પણ કીધું હતું કે ટ્વીટરે સરકારના દબાણમાં આવીને કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ બ્લોક કર્યા છે.
દુષ્કર્મ પીડિતાના ફોટા કર્યા હતા અપલોડ
દિલ્હીમાં દુષ્કર્મનો બોગ બનેલી બાળકીના પરિવારની તસ્વીરો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ધ્વારા ટ્વીટર પર અપલોડ કરવામાં આવી હતી. જે બાબતે ટ્વીટરો નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ મામલો ઘણો ગરમાયો જેના કારણે ટ્વીટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કર્યું હતું. જોકે હવે ફરી વખત તેમનું એકાઉન્ટ રિએક્ટિવ કરી દેવામાં આવ્યું છે.
પાર્ટીના કાર્યકર્તાએ આપી માહિતી
સમગ્ર મામલે પાર્ટીના કાર્યકર્તા દ્વારા માહિતી આપવામાં આવી છે. કે રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ અનલોક કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસે એવા આક્ષેપો કર્યા હતા કે ટ્વિટર હવે ભારતના રાજકારણમાં પણ દખલ કરી રહ્યું છે. સાથેજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લાખો અનુયાયીઓને અભિપ્રાયના અધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે.
મનીષ મહેશ્વરીની ટ્રાન્સફર
જોકે એકાઉન્ટ રિએક્ટિવ થયા બાદ એક વાત હવે સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ તટસ્થ છે. તે કોઈ પક્ષપાતી પ્લેટફોર્મ નથી. કોંગ્રેસ સાથેના ઘર્ષણને લઈને ટ્વીટરે ભારતના વડા મનીષ મહેશ્વરીને ટ્રાન્સફર કર્યા છે. તેમની સામે ઉત્તરપ્રદેશમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.