મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે તેમના સંબોધનમાં રાજ્યભરમાં કલમ 144 લાદવાનો નિર્ણય કર્યો હતો.
લોકોએ ટ્વિટર પર મીમ્સ શેર કર્યા
જનતા આ જાહેરાતથી કન્ફ્યુઝ થઈ ગઈ
એક યુઝરે પૂછ્યું - કલમ 144 અને લોકડાઉન શું અલગ અલગ હોય છે?
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા કોરોનાને નિયંત્રિત કરવા માટે ઘણા કડક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે, આખા રાજ્યમાં 144ની કલમ લાગૂ કરી દેવામાં આવી છે, જો કે, સરકારે તેને લોકડાઉન કહેવાનું મુનાસિબ નથી માન્યું. તે જ સમયે, કડક પ્રતિબંધોને લોકડાઉન નહીં કહેવા બદલ સોશિયલ મીડિયા પર આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારની ઘણી મજાક પણ થઈ રહી છે અને યુઝર્સ દ્વારા ઘણી મેમ્સ શેર કરવામાં આવી હતી.
#UddhavThackeray talking about corona, lockdown, implementing Restrictions but saying we will not impose lockdown.. But from tomorrow strict RESTRICTIONS WILL BE IMPOSED
એક ટ્વિટર યુઝરે ફિલ્મ થ્રી ઇડિયટ્સના પ્રખ્યાત ડાયલોગ ' અરે ભાઈ કહના ક્યા ચાહતે હો' થી ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો, તો એક અન્ય યુઝરે સીધા જ પૂછી લીધું કે લોકડાઉન છે કે નહિ? તે જ સમયે, એક અન્ય યુઝરે લખ્યું કે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સમગ્ર લોકડાઉનના બદલે કલમ 144 લાગુ કરી રહ્યા છે. આ સાથે, તેણે એક મીમ શેર કર્યું, જેના પર લખ્યું હતું કે, 'શું બંને અલગ-અલગ હોય છે?'
મહત્વનું છે કે કોરોનાના લીધે આજે પણ મહારાષ્ટ્રમાં કેસોનો રાફડો ફાટ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 8.30 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 58,952 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 278 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અગાઉ, મંગળવારે 60,212 લોકો, સોમવારે 51,751 અને રવિવારે 63,294 જેટલા દર્દીઓને કોરોના સંક્રમણ થયું હતું, રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78,160 લોકોને કોરોના સંક્રમણ થયું છે.
કોરોના વધતા જતા કેસો વચ્ચે આજે રાતના 15 વાગ્યાથી આઠ દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકડાઉન જેવા આ નિયંત્રણો 1 મેના રોજ સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી હતી.
તેમણે કહ્યું હતું કે હોસ્પિટલોમાં ભીડ વધી ગઈ છે. આવી સ્થિતિમાં કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ બંગાળથી અથવા પૂર્વોત્તર રાજ્યોમાંથી ઓક્સિજન સપ્લાય કરવા લશ્કરી વિમાન મોકલવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઓક્સિજન સપ્લાય અને બેડની અછત છે અને રેમેડિસિવર ઇન્જેક્શનની માંગ વધી છે. ઠાકરેએ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર તેની પિક પર છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.