નવા નિયમોનું પાલન કરવાને લઈને આનાકાની ટ્વીટરને ભારે પડતી દેખાઈ રહી છે.
ટ્વીટરને ભારત સરકારની વાત ન માનવી ભારે પડતી દેખાઈ રહી છે
સરકાર ફેબ્રુઆરીમાં ઈન્ટરનેટ મીડિયા માટે નવા નિયમ જારી કર્યા હતા
ઈન્ટરમીડિયરી હોદ્દો ખતમ થયા બાદ પ્લેટફોર્મ સામાન્ય મીડિયાની શ્રેણીમાં આવી જશે
ટ્વીટરને ભારત સરકારની વાત ન માનવી ભારે પડતી દેખાઈ રહી છે
ભારત સરકાર તરફથી વારંવાર ચેતવણી આપ્યા બાદ પણ ઈન્ટરનેટ મીડિયા દ્વારા જારી નવા નિયમોનું પાલન કરવાને લઈને આનાકાની ટ્વીટરને ભારે પડતી દેખાઈ રહી છે. આ સોશિયલ મીડિયા કંપનીને મળ્યા ઈન્ટરમીડિયરી (મધ્યમનો દરજ્જો ખતમ થઈ ગયો છે. તેવામાં પોલીસ હવે કંપનીના ભારતીય યુનિટના મેનેજિંગ ડાયરેક્ટર સહિત મુખ્ય અધિકારીઓની પુછપરછ કરી શકે છે. અને આ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહેલા ગેરકાયદેસરના અને ઉશ્કેરણીજનક કમેન્ટ પર કાયદાકીય કાર્યવાહી સામનો પણ કરવો પડી શકે છે. એક વાયરસ વીડિયો શેર કરનારા પોસ્ટને લઈને સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીની વિરુદ્ધ મામલો નોંધાયા બાદ આ વાતની જાણકારી સરકારી સૂત્રો પાસેથી મળી છે.
સરકાર ફેબ્રુઆરીમાં ઈન્ટરનેટ મીડિયા માટે નવા નિયમ જારી કર્યા હતા
હકિકતમાં ભારત સરકાર ફેબ્રુઆરીમાં ઈન્ટરનેટ મીડિયા માટે નવા નિયમ જારી કર્યા હતા. જેના માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મસને નવા નિયમોનું પાલન કરવા માટે 25 મે સુધી સમય આપવામાં આવ્યો હતો. જો કે ટ્વીટર તરફથી આના પર ઢીલ જોવા મળી. તેવામાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સૂત્રોએ કહ્યુ કે ટ્વિટરે અત્યાર સુધી 25 મેએ લાગૂ થયેલા નિયમોના તમામ પ્રાવધાનોનું પાલન નથી કર્યુ. સૂત્રોનું કહેવું છે કે સરકારે 5 જૂને છેલ્લી ચેતવણી આપી હતી. પરંતુ તે બાદ પણ ટ્વીટરના નિયમોનું પાલન નથી કરી શક્યા તો સ્પષ્ટ છે કે કાર્યવાહી શરુ થઈ ગઈ છે.
ઈન્ટરમીડિયરી હોદ્દો ખતમ થયા બાદ પ્લેટફોર્મ સામાન્ય મીડિયાની શ્રેણીમાં આવી જશે
જાણકારી માટે જણાવી દઈએ તો ઈન્ટરમીડિયરી હોદ્દો ખતમ થયા બાદ પ્લેટફોર્મ સામાન્ય મીડિયાની શ્રેણીમાં આવી જશે. આનો મતલબ એ થયો કે ટ્વીટરના પ્લેટફોર્મ પર ચાલનાર કોઈ પણ કન્ટેન્ટસ, વીડિયો અથવા કોઈ અન્ય વસ્તુને લઈને કેસ દાખલ થાય છે તો ટ્વીટર પણ તેમા પાર્ટી બનશે અને ભારતીય દંડ સંહિતા હેઠળ તેની વિરુદ્ધ કાર્યવાહી થશે.