જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2021ની વચ્ચે સરકારના કહેવા પર ટ્વિટરે કૃષિ આંદોલન સાથે જોડાયેલ અનેક અકાઉન્ટ્સ અને ટ્વિટ્સ બ્લોક કર્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. જેના માટે આઈટી મંત્રાલય પાસે જવાબ માગ્યો પણ સામેથી કોઈ જવાબ મળ્યો નથી.
મહત્વના દસ્તાવેજથી જાણકારી સામે આવી
સરકારના કહેવા પર ટ્વિટરે આ કામ કર્યું
કેટલાય અકાઉન્ટ્સ અને ટ્વિટર બ્લોક કર્યા હોવાનો થયો ખુલાસો
ટ્વિટરને સરકાર દ્વારા ગત વર્ષે અધિકાર ગ્રુપ ફ્રીડમ હાઉસ, પત્રકારો, રાજકારણીઓ અને ખેડૂતોના સમર્થકોના કેટલાય અકાઉન્ટ અને અમુક ટ્વિટ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું. ટ્વિટર દ્વારા 26 જૂનના રોજ દાખલ કરવામાં આવેલા દસ્તાવેજમાં આ જાણકારી સામે આવી છે. 'લુમેન ડેટાબેસ'ના દસ્તાવેજ અનુસાર, સરકાર તરફથી આ અનુરોધ 5 જાન્યુઆરી 2021 અને 29 ડિસેમ્બર 2021ની વચ્ચે મોકલવામાં આવ્યો હતો.
ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી મુખ્ય ઈન્ટરનેટ કંપનીઓ, લુમેન ડેટાબેસમાં તે વેબલિંક્સ અથવા અકાઉન્ટ વિશે જાણકારી નોંધે છે, જેને લાગૂ થયેલા કાયદા અંતર્ગત કોઈ પણ સંસ્થા દ્વારા તેમને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, તેના વિશે વિવરણ ડેટાબેસ પર મળતો નથી કે કઈ લિંક અથવા અકાઉન્ટને બ્લોક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
આઈટી મંત્રાલયે ન આપ્યો જવાબ
ટ્વિટર દ્વારા દાખલ કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર, સરકાર દ્વારા ફ્રીડમ હાઉસના ટ્વિટને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને મોકલવામાં આવેલા એક ઈમેલ પ્રશ્નva કોઈ જવાબ મળ્યો નથી.
કોંગ્રેસ અને આપના સભ્યોના ટ્વિટ બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું
દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર, સરકારે ટ્વિટરને ફ્રીડમ હાઉસના અમુક ટ્વીટ્સને બ્લોક કરવા માટે કહ્યું હતું. જેમાં 2020માં ઈન્ટરનેટની સ્વતંત્રતાની સ્થિતિ વિશે વાત કરવામાં આવી હતી. દસ્તાવેજમાંથી ખબર પડે છે કે, સરકારે ધારાસભ્ય જરનૈલ સિંહ સહિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોના ટ્વિટને બ્લોક કરવાનો અનુરોધ કર્યો હતો.
દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર, સરકારે ટ્વિટર પાસેથી કિસાન એકતા મોર્ચના અકાઉન્ટને બ્લોક કરવાનો પણ અનુરોધ કર્યો હતો. એક તપાસમાંથી ખબર પડે છે કે, મોટા ભાગના ટ્વિટ અને ટ્વિટર અકાઉન્ટ બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું કે, તે યુઝર્સ માટે સુલભ હતા.
સંયુક્ત કિસાન મોર્ચાએ સોમવારે દાવો કર્યો હતો કે, ટ્વિટરે કેન્દ્ર સરકારના કહેવા પર કૃષિ આંદોલન સાથે જોડાયેલ લગભગ 12 અકાઉન્ટ બંધ કરી દીધા છે. એસકેએમે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકારે ટ્વિટર પર કેન્દ્ર પર સવાલ ઉઠાવનારા અકાઉન્ટને બંધ કરવાનું દબાણ નાખ્યું છે.
પત્રકારોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સમુહ સમિતિના પત્રતાર રાણા અય્યૂબ અને સીજે વેરલેમેનના ટ્વિટને બ્લોક કરવા માટે સરકારના પગલાની ટીકા કરી છે. સીપીજે એશિયાએ ટ્વિટ કર્યું છે કે, ટ્વિટર પત્રકાર રાણા અય્યૂબના ટ્વિટને રોકવા માટે ભારત સરકારના નિર્દેશોનું પાલન કરી રહ્યું છે અને ભારતમાં સ્તંભકાર સીજે વેરલેમૈનના અકાઉન્ટને બ્લોક કરવા સોશિયલ મીડિયા પર સેન્સરશિપની અસ્વિકાર્ય નવી પ્રવૃતિનો ભાગ છે તેને રોકવું જોઈએ. પત્રકારોનો અવાજ લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે.