સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર યુઝર્સ માટે રોજ બરોજ નવા ફિચર આવી રહ્યા છે. હવે વધુ એક નવું ફિચર આવ્યું છે, જેમાં ટ્વીટરે કોઈને પણ મેસેજ કે રીટ્વીટ કરવાની રીત બદલી છે. હકિકતમાં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર જુઠા સમાચારને અટકાવવા માટે નવું ફિચર લોંચ કર્યું છે.
જેમાં લખ્યું હશે કે 'Headlines don't tell the full story
... આ જ કારણ છે કે ટ્વીટરમાં નવું ફિચર આવ્યું છે
ટ્વીટર ઈચ્છે છે કે રિ ટ્વીટ કરતા પહલા કશુક લખો
આ સોશિયલ નેટવર્કિંગ કંપનીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેટલાક લોકો ટ્વીટ વાંચીને તેને રિ ટ્વીટ કરવાનો વિચાર છોડી દે છે. એવું ટ્વીટર પણ ઈચ્છે છે. કેમ કે આ પ્રકારના ટ્વીટ હકિકતમાં રિ ટ્વીટ કરવાના લાયક હોતા નથી. આ પહેલા ટ્રાયલ બેસિસ પર જૂનમાં ટ્વીટરે એન્ડ્રાયડ પર એક ઈનફોર્મલ ડિસ્કશન નામનું ફિચર શરુ કર્યુ હતુ.
જો તમે તમારા ટ્વિટર હેંડલ પર જેવો મેસેજ કે ટેક્સ રિટ્વીટ કરવાનો ઓપ્શન ટૈપ કરશો નવો પોપઅપ સામે આવશે,. જેમાં લખ્યું હશે કે 'Headlines don't tell the full story.ટ્વીટર ઈચ્છે છે કે રિ ટ્વીટ કરતા પહલા કશુક લખો. ટ્વીટરનું કહેવું છે કે આનાથી લોકોને નવો અનુભવ મળશે.
હકિકતમાં કોઈ પણ વાતને કારણ વગરનું મહત્વ આપવા માટે ટ્વીટરનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. ગત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ટ્વીટર અને ફેસબુક સહિત સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ અફવા ફેલાવવા કરવામાં આવ્યો હતો. એ જ કારણ છે કે ટ્વીટરમાં નવું ફિચર આવ્યું છે.