ટ્વિટર દ્વારા કોંગ્રેસના કુલ 5 હજાર નેતાઓના એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા. જે મામલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકતાંત્રિક વ્યવસ્થા પર મોટો હુમલો થયો છે.
કોંગ્રેસના 5 હજાર નેતાઓના ટ્વીટર એકાઉન્ટ બ્લોક
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
લોકતાંત્રિક વ્યવસ્થા પર હુમલો થયો : રાહુલ ગાંધી
કોંગ્રેસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્વીટર દ્વારા 5 હજાર કરતા વધારે કોંગ્રેસના નેતાઓના એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. કોંગ્રસના મહાસચિવ રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ, અજય માકન, લોકસભામાં પાર્ટીના વ્હિપ મનિકન ટૈગૌર જેવા ઘણા નેતાઓના ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરી થયા છે.
નિયમોનું પાલન ન થતા કાર્યવાહી થઈ
જેમના એકાઉન્ટ બ્લોક થયા છે. તેઓ ટ્વીટરના નિયમોનું પાલન નહોતા કરતા તેવું તેમનું કહેવું છે. જેને અનુલક્ષીને ટ્વીટર દ્વારા આ એકશન લેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિહં અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવનું પણ ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે.
કોંગ્રેસે ટ્વીટરને લેટર લખ્યો
કુલ 5 હજાર એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે. સમગ્ર મામલે પાર્ટીના વરિષ્ઠ સાંસદ દ્વારા ટ્વિટર પર આ મુદ્દે વાત કરવામાં આવી રહી છે. ઉપરાંત ટ્વીટરને લેટર લખીને પણ આ વિવાદનો અંત લાવવા માટે અપીલ કરવામાં આવી છે.
સરકારના દબાણમાં ટ્વીટરની કામગીરી : રાહુલ ગાંધી
ટ્વીટરની આ કાર્યવાહીને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર તેમજ ટ્વીટર પર પ્રહાર કર્યા હતા. જેમા તેમણે કહ્યું કે ટ્વીટર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે. તેના પરથી કહી શકાય કે તે તટસ્થ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી. સાથેજ રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે ટ્વીટર સરકારના દબાણમાં આવીને આ કામ કરી રહ્યું છે.
લોકતાંત્રિક વ્યવસ્થા પર હુમલો કરવામાં આવ્યો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે અમને સંસદમાં બોલવાની અનુમતી નથી મળતી. મીડિયા પર પણ નિયંત્રણ રાખવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અમારી પાસે એકમાત્ર સાધન હતું. પરંતુ આ પ્લેટફોર્મ પણ હવે તટસ્થ નથી રહ્યું. રાહુલ ગાંધીએ ટ્વીટરની કાર્યવાહીને લઈને એવું પણ કહ્યું કે આપણી લોકતાંત્રિક વ્યવસ્થા પર આ હુમલો થયો છે.
2 કરોડ ફોલોવર્સના વિચાર કચડી કાઢ્યા : રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદે કહ્યું કે આ બનાવની રાજકારણ પર પણ ગંભીર અસર પડશે. સાથેજ રાહુલ ગાંધીએ કહ્યું કે ટ્વિટર લોકતાંત્રિક વ્યવસ્થામાં દખલગીરી કરી રહ્યું છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે મારા 2 કરોડ ફોલોવર્સ છે. જેથી મારું એકાઉન્ટ બ્લોક કરીને તેમના પણ વિચારોને કચડી કાઢવામાં આવ્યા છે.
પીડિતાના પરિવારજનોનો ફોટો થયો હતો અપલોડ
ઉલ્લેખનીય છે કે રાહુલગાંધી અને કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં બાળકી સાથે દુષ્કર્મ અને તેની હત્યા મામલે તેના પરિવારજનો સાથેની ફોટો અપલોડ કરી હતી. જેના કારણે બાળકીની ઓળખ છતી થઈ હતી. પરિણામે ટ્વીટર દ્વારા સૌથી પહેલા તો રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું. બાંદમાં કોંગ્રેસનું એકાઉન્ટ બ્લોક થયું અને ધીરે ધીરે કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા.