ભારતમાં ટ્વિટર અને સરકાર વચ્ચે ગજગ્રાહ શરૂ થઈ ગયો છે જેમાં સરકાર ટ્વિટર દ્વારા ઘણા એકાઉન્ટ પર કાર્યવાહી ન કરવાના કારણે નારાજ છે.
ભારત સરકાર ટ્વિટરથી નારાજ
ટ્વિટરે સરકારને આપ્યો જવાબ
500 એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ : ટ્વિટર
શું છે સમગ્ર મામલો?
ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને વિવાદ ઊભો થયો છે અને કેટલાક દિવસથી બંને સામસામે આવી ગયા છે. ભારત સરકારે હાલમાં જ ટ્વિટરને વિવાદિત અકાઉન્ટ અને હેશટેગને લઈને સવાલો કર્યા હતા જેના હવે હવાબ આપવામાં આવ્યા છે. ટ્વિટરે જણાવ્યું કે તેમની તરફથી આપત્તિજનક હેશટેગ અને તે સંબંધિત કન્ટેન્ટ હટાવી દેવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે ભારત સરકાર તરફથી કેટલાક એકાઉન્ટને બ્લોક કરી દેવા માટે કહેવામાં આવ્યું છે જેના પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તપાસમાં સામે આવ્યું કે તેમના કન્ટેન્ટ ભારતના કાયદા પ્રમાણે જ છે તો તે અકાઉન્ટને ફરીથી રિસ્ટોર કરી દેવામાં આવ્યા.
સરકારને આપ્યો જવાબ
પોતાના જવાબમાં ટ્વિટરે કહ્યું કે અમારી તરફથી 500થી વધારે અકાઉન્ટ પર એક્શન લેવામાં આવ્યા છે અને સરકારને તેની જાણકારી આપી દેવામાં આવી છે. ટ્વિટરે કહ્યું કે સરકાર સાથે આગળ પણ વાતચીત ચાલુ રાખવામાં આવશે. એક મીડિયા અહેવાલ અનુસાર ટ્વિટરે ફરીથી આ કાર્યવાહી શરૂ કરી છે અને ઘણા એકાઉન્ટને બંધ કરવામાં આવી રહ્યા છે.
દિલ્હી ઉપદ્રવ બાદથી એક્શનમાં ટ્વિટર પણ...
દિલ્હીમાં થયેલી હિંસા મામલે ટ્વિટરે કહ્યું કે 26મી જાન્યુઆરી બાદ ટ્વિટર પરથી ઘણા બધા કન્ટેન્ટને હટાવી દેવામાં આવ્યા જે પરિસ્થિતિને ખરાબ કરી રહ્યા હતા અને આ સિવાય 500 અકાઉન્ટને સસ્પેન્ડ કર્યા તથા હેશટેગ પણ હટાવવામાં આવ્યા છે. ટ્વિટરે એમ પણ કહ્યું કે તેમણે કોઈ પણ મીડિયા હાઉસ, પત્રકાર અને સામાજિક કાર્યકરોના એકાઉન્ટ બંધ નથી કર્યા કારણ કે તેમને લાગે છે કે ભારતીય કાયદાઓ આંસુઆર તેમને પોતાની વાત કહેવાનો અધિકાર છે.
કેમ નારાજ છે સરકાર?
નોંધનીય છે કે દિલ્હીમાં થયેલા ઉપદ્રવ બાદ સોશ્યલ મીડિયા પર પણ સરકાર કાર્યવાહી કરવાના મૂડમાં છે અને સરકારે આ પહેલા ઘણા બધા એકાઉન્ટને બ્લોક કરી દેવા માટે ટ્વિટરને કહ્યું હતું, આ એવા એકાઉન્ટ છે જેમના પર ખાલિસ્તાની સમર્થક કન્ટેન્ટ હોવાનો આરોપ છે. ઘણા બધા એકાઉન્ટને તે દિવસે જ બંધ કરી દેવામાં આવ્યા પરંતુ તે બાદ ઘણા એકાઉન્ટ ફરીથી ચાલુ થઈ ગયા જે બાદથી ભારત સરકાર નારાજ છે. ભારતના IT મંત્રી રવિશંકર પ્રસાદથી મળવા માટે ટ્વિટરના અધિકારી સમય માંગી રહ્યા છે પરંતુ મંત્રીએ મુલાકાત કરવાની ના પાડી દીધી હતી.