યુપીના ગાઝિયાબાદમાં એક અતિ કરુણ ઘટના બની છે. અહીંની એક બિલ્ડિંગના 25 મા માળેથી પટકાતા બે જોડીયા ભાઈઓના કરુણ મોત થયા છે.
યુપીના ગાઝિયાબાદમાં એક અતિ કરુણ ઘટના બની
25 મા માળેથી પટકાયા બે જોડીયા ભાઈઓના મોત
બાલ્કનીમાં રમી રહ્યાં હતા બન્ને ભાઈઓ
ગાઝિયાબાદના વિજયનગરના થાણા વિસ્તારમાં સિદ્ધાર્થ વિહારની એક સોસાયટીમાં એક પરિવાર 25 મા માળે રહેતો છે. 25 મા માળે રહેનાર આ પરિવારમાં ફક્ત બે સંતાનો અને તે પણ જોડીયા છે. 14 વર્ષનો સુર્ય નારાયણ અને સત્ય નારાયણ અડધી રાતે ફ્લેટની બાલ્કનીમાં રમી રહ્યાં હતા. રમતા રમતાં અચાનક તેઓ નીચે પડી ગયા હતા અને તત્કાળ મોતને ભેટ્યો હતા. પોલીસે બન્ને ભાઈઓની લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
રાતના 12 વાગ્યે બન્ને છોકરા 25 મા માળેથી નીચે પટકાયા
પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે દુર્ઘટના બની ત્યારે ઘરમાં જોડીયા બાળકોની માતા હાજર હતી. પિતા મુંબઈ ગયા હતા. બન્ને જોડીયા ભાઈ અલગ અલગ રુમમમાં હતા. રાતના 12 વાગ્યે તેની માતા સુવા ચાલી ગઈ અને પછી કોઈ કારણોસર બન્ને ભાઈ રેલીંગ પાસે પહોંચી ગયા અને 25 મા માળેથી નીચે પટકાયા હતા.
ભાઈઓને એકલા મૂકીને માતા સુવા ચાલી ગઈ
જોડીયા ભાઈઓને મૂકીને રાતે 12 વાગ્યે માતા સુવા ચાલી ગઈ હતી તેણે ખાતરી પણ રાખી નહોતી કે બન્ને ભાઈઓ સુતા છે કે નહીં. તેના સુવા ચાલ્યા ગયા પછી બન્ને ભાઈઓ રુમ ખોલીને બાલ્કનીમાં ચાલ્યા ગયા હતા અને ત્યાં રમવા લાગ્યા હતા આ દરમિયાન તેઓ નીચે પટકાયા હતા.