મહારાષ્ટ્ર્ના બીડ જિલ્લામાં ચકલાંબા ગ્રામવાસી પાણીની ભયંકર અછતને કારણે 43 ડિગ્રી ગરમીને સહન કરતા ભૂખ હડતાળ કરી રહ્યા છે. ગત છ મહીનામાં આવુ બીજી વાર છે કે જ્યારે ગ્રામીણ ભૂખ હડતાળ પર છે. એમણે આ પહેલા પણ ફેબ્રુઆરીમાં 12 દિવસોની ભૂખ હડતાળ કરી હતી.
આ મામલે ગામના 70 વર્ષના વૃદ્ધ મછિંન્દ્રા ગાવડે આંખમાં આસૂ સાથે કહ્યું કે, 'અહીના તમામ કૂવા સુકાઇ ગયા છે. પાક માટે પાણીનો એક પણ સ્ત્રોત નથી. જો પુરતો વરસાદ ન થયો આ વર્ષે ખરીફ પાક (ચોમાસુ પાક) ની વાવણી નહીં કરી શકીએ.' પાણીની અછતને પગલે ચકલાંબા ગ્રામજનોએ વર્ષ 2016થી પ્રદેશ સરકારના ચલ સંશાધન વિભાગને કેટલીય વાર અરજી આપી છે.
ચરલાંબા ગામના ભૂ-સ્વામીઓમાંથી એક સતીશ પાટિલે જણાવ્યું કે, 'એક ઉપ નહર અમારી તમામ સમસ્યાઓનું સમાધાન કરશે.' સતીશ વર્તમાનમાં એક કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી રૂપે કામ કરી રહ્યા છે. પાટિલ પાસે હજુ પણ 16 એકડ જમીન છે પરંતુ વર્ષ 2018-19માં તેમની મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હતો.
ચકલાંબાનું પરિસ્થિતિ મરાઠાવાડાના હિસ્સાના કેટ કેટલાય ગામોની વાસ્તવિકતા દર્શાવે છે. જ્યાં ભૂ-સ્તર જળ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. રાજ્ય ભૂ-જળ સર્વેક્ષણ અને વિકાસ એજન્સીના ગ્રીષ્મકાલીન સર્વેમાં સામે આવ્યું છે કે, અહીં ના અડધા અડધ ગામોમાં પાંચ વર્ષની સરેરાશ પ્રમાણે 3 મીટરથી વધારે ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો મરાઠાવાડાના 1467 ગામોમાં નોંધાયો છે. અહીંના કૂવા અને બોર સુકાઇ ગયા છે.
આ સ્થિતિમાં ચલલાંબા ગ્રામજનોએ પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં મંત્રીઓ, ધારાસભ્ચો અને અધિકારીઓને મળવા માટે મુંબઇમાં એક પ્રતિનિધિમંડળ મોકવાની યોજના બનાવી હતી. પરંતુ પૈસાના તંગીને કારણે એક જ દૂત મોકલી શકાયો.
મુંબઇમાં ધારાસભ્યોનું ધ્યાન પોતાના ગામ તરફ આકર્ષિત કરવા માટે પ્રયાસ કરી રહેલા કૃષ્ણ ખેડકરે કહ્યું કે, અહીંની વાસ્તવિકતા એ છે કે અમારા ખેતર માટે ન તો પાણી છે ન આવકનું કોઇ વૈકલ્પિક સ્ત્રોત. ખેડકરે આ મામલે વિપક્ષના નેતા (NCP) ધનંજય મુંડે સાથે પણ મુલાકાત કરી છે. એમણે પણ વાયદો કર્યો છે. જ્યારે ખેડકરને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવાની આશા છે.