કર્ણાટકના ચિક્કમગલુરુમાં લગ્નની આગલી સાંજે વરરાજાનું કોરોનાથી મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. પરિવારવાળો તેની લાશને પણ અડી શક્યા નહોતા.
કર્ણાટકના ચિક્કમગલુરુની ઘટના
બે વાર રિપોર્ટ નેગિટીવ, મોત બાદ કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ
લગ્નની આગલી સાંજે વરરાજાનુ મોત
બે વાર રિપોર્ટ નેગિટીવ, મોત બાદ કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ
કર્ણાટકના ચિક્કમગલુરુમાં 32 વર્ષઈય પૃથ્વીરાજ ડીએમની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા. તેનો ટેસ્ટ પણ કરાયો. દશ દિવસમાં બે વાર તેની તપાસ કરાઈ પરંતુ બન્ને વાર કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. બુધવારે તેને રિપોર્ટ પોઝિટીવ આવતા તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. પરંતુ મોત બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. ગુરુવારે તેના લગ્ન હતા અને એક દિવસ પહેલા બનેલી આ ઘટનાને કારણે પરિવારમાં માતમ છવાયો હતો.
બે વાર કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
પૃથ્વીરાજ બેંગ્લુરિમાં સેલ્સ એક્ઝીક્યુટીવનું કામ કરતો હતો. તેના પિતા મંજૂનાથ ખેડૂત છે. મંજૂનાથે જણાવ્યું કે બેંગ્લુરુથી પાછા આવ્યાં બાદ પૃથ્વીરાજે પેટમાં દુખાવાની તથા શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરતા તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ દરમિયાન તેના લગ્ન પણ નક્કી કરાયા હતા. સારવાર બાદ તે સાજો થઈ ગયો હતો. ત્યાર બાદ તેના લગ્ન ગોઠવાયા હતા.
મરણ બાદ રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો
બન્ને પરિવારો પણ લગ્નની તૈયારીઓમાં પડ્યાં હતા. પૃથ્વીરાજ હોસ્પિટલથી ઘેર આવ્યો.બુધવારે અચાનક તેને શ્વાસ ચડવા લાગ્યો. આથી ગભરાયેલા પરિવારે તેને કોપ્પાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. બુધવારે સાંજે તેણે અંતિમ શ્વાસ લીધો. મર્યા બાદ તેની ત્રીજી વાર તપાસ કરવામાં આવી ત્યારે તેનો કોરોનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
લગ્નમાં સામેલ થવા આવેલા મહેમાનો માતમનો હિસ્સો બન્યાં
પૃથ્વીના કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. ગુરુવારે જે સગાવહાલા તેના લગ્નમાં સામેલ થવા આવ્યાં હતા તેઓ તેના અંતિમ સંસ્કારમાં સામેલ થયા. પરંતુ દૂરથી તેની સળગતી ચિતાને જોઈ રહ્યાં હતા. તેની લાશને હાથ પણ લગાડવાની કોઈની હિંમત ન ચાલી.