ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકારે સન્યાસ લઈ લીધો છે અને કહ્યું છે કે તેમણે ખુદને બધા જ કર્તાવ્યોમાંથી મુક્ત કર્યા છે.
ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકારે લીધો સન્યાસ
લોકડાઉનમાં માંનાં ઈલાજ માટે પણ ન હતાઆ પૈસા
મેં ખુદને બધા જ કર્તાવ્યોમાંથી મુક્ત કરી દીધી છે - નૂપુર અલંકાર
જાણીતી ટીવી એક્ટ્રેસે લીધો સન્યાસ
ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. 27 વર્ષ સુધી ટીવી પર પોતાની એક્ટિંગથી લોકોને ઇમ્પ્રેસ કરનાર નૂપુરે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. નૂપુર પોતાની ગ્લેમર લાઈફને છોડીને સન્યાસી બની ચૂકી છે. આવો જાણીએ કે એક્ટ્રેસ સાથે શું થયું કે તેમણે એક્ટિંગ છોડીને સન્યાસ લેવાનો નિર્ણય લીધો.
નૂપુર બની સન્યાસી
નૂપુર અલંકાર શક્તિમાન, દિયા ઔર બાતી હમ અને ઘર કી લક્ષ્મી બેટીયાં જેવા ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. ઘણા વર્ષો સુધી ટીવી પર કામ કરવામાં નૂપુરને એ શાંતિ ન મળી, જેની તેને ખોજ હતી. એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું કે મેં ફેબ્રુઆરીમાં સન્યાસ લીધો હતો. હું તીર્થયાત્રાઓમાં વ્યસ્ત છું અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો મેં નિર્ણય લીધો છે. મારો ઝુકાવ હંમેશા આધ્યાત્મ તરફ રહ્યો છે અને હું આધ્યાત્મનું પાલન પણ કરતી આવી છું. એટલા માટે હવે મેં ખુદને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી છે. હું ગુરુ શંભૂ શરણ ઝાને મળીને ધન્ય છું, જેમને કારણે મારા જીવનની દિશા જ બદલાઈ ગઈ.
ટીવી એક્ટ્રેસથી સન્યાસી બની ગયેલ નૂપુર મુંબઈથી હિમાલયની યાત્રા પર નીકળી ચૂકી છે. તે કહે છે કે આ એક મોટું પગલું છે. મેં પોતાના મુંબઈનાં ફ્લેટને ભાડા પર આપી ચૂકી છું, જેથી માત્ર ટ્રાવેલ તથા બેસિક ખર્ચ નીકળી શકે. પોતાના સન્યાસી લુક પર વાત કરતાં તે કહે છે કે ઘણા લોકોને લાગે છે કે હું ભાવનાત્મક રૂપથી તૂટી ચૂકી છુ અને જીવનથી થાકીને મેં આ નિર્ણય લીધો છે, પરંતુ આ સત્ય નથી.
માંનાં ઈલાજ માટે ન હતા પૈસા
લોકડાઉન દરમિયાન નૂપુર અલંકારની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેમણે લોકો પાસે મદદ પણ માંગી હતી. આ દરમિયાન તેમની માંની પણ તબિયત ખરાબ હતી, જેનાં ઈલાજ માટે તેમની પાસે પૈસા ન હતા. ત્યાં સુધી કે તે માંની દવા માટે 500 રૂપિયા પણ એકઠા ન હોતી કરી શકી. ત્યાર બાદ તેમણે ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ પર મદદ માંગી અને ત્યાંથી તેમને પૈસાની હેલ્પ મળી. આ ઉપરાંત, ટીવી ઇન્ડસ્ટ્રીનાં પણ ઘણા લોકોએ નૂપુરની મદદ કરી હતી. નૂપુરનું કહેવું હતું કે તે 2019થી જ માંની સેવામાં લાગેલી હતી. એટલા માટે તેમને કામ કરવાનો સમય ન હોતો મળી રહ્યો.
મેં ખુદને બધા જ કર્તાવ્યોમાંથી મુક્ત કરી દીધી છે - નૂપુર અલંકાર
નૂપુર કહે છે કે મારા જીવનમાં હવે નાટકની કોઈ જગ્યા નથી. ડિસેમ્બર 2020માં મારી માંનાં નિધન બાદ, મને સમજાયું કે હવે મારી પાસે કંઇપણ ગુમાવવા માટે નથી. મેં ખુદને બધા જ કર્તાવ્યોથી મુક્ત કરી દીધી છે. તે આગળ જણાવે છે કે મારા સન્યાસમાં સમય લાગી ગયો, કેમકે મારા બનેવી અફઘાનિસ્તાનમાં ફસાઈ ગયા હતા, જ્યારે તાલિબાને દેશ પર કબ્જો કર્યો હતો.