અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. હવે ટીવી શૉ 'ઇશ્કબાઝ'ની અભિનેત્રી અદિતિ ગુપ્તા કોરોનાનો ભોગ બની છે. અદિતિને લાગ્યું કે તેની સુંઘવાની શક્તિ કામ કરતી નથી, તેણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો તે સિવાય તેને બીજા કોઇ લક્ષણો નહોતા.
અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે મને ખબર પડી કે કોરોના થયો છે, ત્યારે મેં પહેલા મારી જાતને કોરંટાઇન કરી દીધી હતી. હું એક જ રૂમમાં 7-8 દિવસ રહી છું. મારા મિત્રો, પતિ અને પરિવાર મદદ કરી રહ્યા છે, અદિતિની સૂંઘવાની ક્ષમતા પાછી આવી રહી છે.
વર્ક ફ્રન્ટ પર અદિતિ ગુપ્તા
તમને જણાવી દઈએ કે અદિતિએ વર્ષ 2008 માં ટીવી શો 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' થી અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય તે હિટલર દીદી, રિમેરેજ, કુબુલ હૈ, યે હૈ આશિકી જેવા શોમાં પણ જોવા મળી હતી.
મોહિના કુમારીએ જીતી કોરોના જંગ
'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અભિનેત્રી મોહિના કુમારી સિંહ એક મહિના સુધી કોરોના સાથે યુદ્ધ લડી અને બાદમાં મોહિનાએ આ માહિતી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતા લખ્યું છે કે- આખરે એક મહિના પછી કોરોના નેગેટિવ આવ્યો હતો.