રાજ્યમાં ચૂંટણીનાં જોર અને શોર હવે શમી ગયા છે ત્યારે હવે ખેડૂતોનો અવાજ ફરીવાર સંભળાવા લાગ્યો છે. કારણે કે, પોતાની મહેનતથી ઉપજાવેલી ખેતપેદાશ પર વેપારીઓ તંત્ર બેફામ બની કૌભાંડ આચરવા લાગ્યા છે. તંત્રની મિલિભગત અને વેપારીઓના બદઈરાદાથી ખેડૂતોની તુવેર ખેડૂતો જ પર બટ્ટો લગાડનારી બની છે. કારણ એ છે કે ખેડૂતોની ગુણવત્તા વાળી તુવેરમાં વેપારીઓ અને ટેકા તંત્રની મલિનતાએ ભેળસેળ કરી છે. તપાસ આદરી દેવાઈ છે પરંતુ તે હંમેશની માફક જ છે.
કેશોદ તુવેર કૌભાંડમાં વધારે જથ્થો પકડાયો 7 આરોપી પૈકી એક ભરત વાઘસિયાની વાડીમાંથી 700 કરતા વધારે ગુણી નબળી ગુણવત્તા વાળી પકડાઈ અને આશ્ચર્યની વાત એ છે કે આ દરોડા તંત્રએ નહિ પણ ખેડૂતોએ કર્યા છે. ત્યારે સવાલ એ છે કે કેશોદ તુવેર કૌભાંડ 4 દિવસથી ચર્ચામાં છે. સરકાર અને તંત્ર કારકુન કક્ષાની વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરીને સંતોષ માનીને બેસી ગયા છે. તેમાં તાપસ તો નામ પૂરતી ચાલે છે સરકાર કરતા તો હવે ખેડૂતો વધારે તેજ ગતિએ કામગીરી કરી રહ્યા છે.
સરકારે આરોપીઓ પાસેથી માહિતી ઓકાવવાની જગ્યાએ ખેડૂતો માહિતી એકત્રિત કરી છાપામારી કરી રહ્યા છે. આ ઉપરથી એવું લાગે છે કે સરકાર કૌભાંડ ઢાંકવા ધમપછાડા કરે છે અને ખેડૂતો કૌભાંડ ઉજાગર કરાવવા મથે છે.
સરકારની આ નિતીરીતી જ આ કૌભાંડો પાછળ જવાબદાર છે જો સરકાર ધારે તો ખરીદી કરવા 10 અધિકારીઓની સમિતિ હતી એના ડે ટુ ડે ના રિપોર્ટ, તેમની વિઝિટ બધું જ ચેક કરવામાં આવે તો આ સમિતિના અધિકારીઓની નિષ્ક્રિયતા, બેદરકારી અથવા તો ઢીલીનીતિ સામે આવી શકે છે. ત્યારે પ્રશ્ન એ છે કે આ સમિતિ માત્ર કાગળ પર જ બનાવવા પૂરતી હતી? આ સમિતિ સામે કોઈ કાર્યવાહી કેમ નહિ?
જૂનાગઢમાં ખેતરમાંથી શંકાસ્પદ તુવેરનો જથ્થો મળવાની જાણ થતા
પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ભરત વઘાસિયાની વાડીમાંથી તુવેરનો જથ્થો મળી આવ્યો હતો. ખેડૂત હિત રક્ષક સમિતિએ આ જથ્થો ઝડપી પાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આરોપીની વાડીમાં સંતાડ્યો હતો તુવેરનો જથ્થો
કેશોદ તુવેર કોંભાડ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ભરત વઘાસિયાનુ નામ સામે આવ્યુ છે. ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતીના પ્રમુખ દ્વારા આરોપી ભરત વઘાસિયાની વાડીમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન વાડીમાંથી તુવેરની બોરીઓ મળી આવી હતી. આ મામલે હિતરક્ષક સમિતીએ પોલીસ અને કલેક્ટરને જાણ કરી હતી. તુવેરની બોરીઓ પર મધ્યપ્રદેશનો માર્કો હોવાનુ પણ બહાર આવ્યુ છે. તુવેરની બોરીએ મળી આવતા અનેક સવાલ પણ ઉઠ્યા છે. શું આરોપીએ જ પોતાની વાડીમાં તુવેરનો જથ્થો સંતાડ્યો હતો. તે પણ એક સવાલ છે.
ખેડૂતો જથ્થો ઝડપી શકે પોલીસ કેમ નહીં?
કેશોદના તુવેરકાંડ મામલે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારને આડેહાથ લીધી હતી. પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ અને સરકારી તંત્ર દ્વારા આરોપીઓને છાવરવામાં આવે છે. જો જાગૃત ખેડૂતો તુવેરનો જથ્થો ઝડપી શકે છે તો પોલીસ કેમ નહી તેવા સવાલો કર્યા હતા.
સળગતા સવાલ
આરોપીની વાડીમાં બોરીઓ ક્યાંથી આવી?
ભરત વઘાસિયાના ઘરે તુવેર ક્યાંથી આવી?
શું આરોપીએ મધ્યપ્રદેશથી તુવેર ખરીદી છે?
મધ્યપ્રદેશના માર્કાની બોરીએ ક્યાંથી આવી?
મધ્યપ્રદેશની બોરીઓ વાડીમાં કેવી રીતે પહોંચી?
પોલીસે અત્યાર સુધી કેમ તપાસ કરી ન હતી?
શું ઉચ્ચ અધિકારીઓની પણ કૌભાંડમાં સંડોવણી છે?
અત્યાર સુધી આ મામલે તપાસ કેમ કરાઈ નથી?
માલ સગેવગે કરાયો તો તેની ગંધ કેમ ન આવી?
વાડીમાં આટલા દિવસ સુધી કેવી રીતે પડી રહ્યો જથ્થો?
માલની હેરફેરમાં કોઈ અધિકારીની સંડોવણી છે?
તુવેરનો જથ્થો તો છુપાવ્યો અન્ય પણ જથ્થા છુપાવ્યા હશે?
ભરત વઘાસિયા પાછળ કોનો છે હાથ?
ક્યા રાજકારણીઓની છે સંડોવણી?
અધિકારીઓ અને રાજકારણીઓની સંડોવણીની થશે નિષ્પક્ષ તપાસ?
કૌભાંડના 24 કલાક બાદ પણ ગુનો દાખલ ન કરાતા ધરણા
કેશોદમાં તુવેર કૌભાંડનો મામલે કોંગ્રેસના વિસાવદરના MLA હર્ષદ રિબડીયા અને ટેકેદારો કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા છે. કૌભાંડના 24 કલાક બાદ પણ ગુનો દાખલ ન કરવામાં આવતા તેઓ ધરણા પર બેઠા છે.