કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે 3241 ગુણીના તુવેર કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ભરત લાડાણી અને હર્ષદ રિબડીયા દ્વારા RTI માહિતી માંગવાનો જિલ્લા પુરવઠા મામલતદારને પત્ર આપવામાં આવ્યો અને ફરિયાદી આરોપી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો.
કેશોદમાં ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરની ખરીદીમાં સારી તુવેર કાઢી નબળી ગુણવત્તાની ઘુસાડી દઈ કૌભાંડીઓ દ્વારા લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. તુવેરમાં કરવામાં આવેલ કાંડ જાહેર થતા તંત્રએના છૂટકે પોલીસ ફરિયાદ કરી 3 લોકોને સસ્પેન્ડ કરી તપાસ ચાલુ હોવાનું ગાણું શરૂ કર્યું છે.
કેશોદના તુવેર કાંડમાં ફરિયાદ કરનાર પુરવઠા નિગમના મામલતદાર એન.કે મોરી જેઓ પોતે જ આ કૌભાંડમાં સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે. જેથી આરોપીને જ ફરિયાદી બનાવી તંત્ર દ્વારા ક્યાંકને ક્યાંક કૌભાંડને દબાવવાનો અને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
જેને લઈને પુરવઠા અધિકારી પાસેથી ખેડૂતો દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
તેમણે જણાવ્યું કે, આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે આ કૌભાંડની અંદર નાની માછલીઓ નહીં મોટા મગરમચ્છોની સંડોવાણી વગર આ શક્ય નથી.