28 કલાકના નાટકીય વણાંક બાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ બુધવારે મોડી સાંજે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે INX મીડિયા કેસમાં આરોપી નથી. ચિદમ્બરમે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાનેથી CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ગત રાતે CBI ના હેડક્વાર્ટરમાં પસાર કર્યા બાદ આજ રોજ તેમને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટરૂમમાં હાજર થયેલા કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમે હળવી ટીખળ કરતા CBI ને કહ્યું કે, મને એમ હતું કે કોર્ટ રૂમ મોટો મળશે.
ચિદમ્બરમ કેસ સાથે ગુજરાતીનો નાતો
ચિદમ્બરમ કેસ સાથે એક ગુજરાતી વકીલનો સીધો સંબંધ રહ્યો છે. ગુજરાત હોઇકોર્ટના એક સમયના જાણીતા વકીલ રહી ચૂકેલાં તુષાર મહેતા કે જેઓ આજે સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા છે. બંધારણી નિયમો મુજબ સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા CBI અને EBનો કેસ સુપ્રીમમાં રજુ કરતાં હોય છે. ચિદમ્બરમના કેસમાં પણ સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે તુષાર મહેતા જ સુપ્રીમમાં કેસ લડી રહ્યા છે.
આ 3 વકીલ લડી રહ્યા છે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમનો કેસ
અત્રે જણાવી દઇએ કે, કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમનો કેસ કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓ કપિલ સિબ્બલ અને મનુ સિંઘવી અને વિવેક તન્ખા નામના વકીલો લડી રહ્યા છે. આ ત્રણેય વકીલ
રાજ્યસભાના સાંસદ છે.
બુધવારે રાતે કરાઇ ધરપકડ
ગઇ કાલનાં રોજ ચિદમ્બરમ જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં. ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે લૂલો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને અને મારા દીકરાને રાજકીય ષડયંત્રમાં ફસાવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, INX મીડિયા કેસમાં મારા પર કોઇ આરોપ નથી, ચિદંબરમે કહ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં તેમના વિશે હું બહુજ પ્રકાર ભ્રમ ફેલાવાયા છે.
ચિદમ્બરમે કહ્યું હતું કે, આ મામલે તેમના અને તેમના પરિવાર વિરૂદ્ધ કોઇ ચાર્જશીટ નથી. તેમણે કહ્યું કે, લોકતંત્રની બુનિયાદ આઝાદી છે, ચિદંબરમે કહ્યું હતું કે, જો તેમને જિંદગી અને આઝાદીમાંથી કોઇ પસંદ કરવાનું કહે તો તે આઝાદી પસંદ કરશે.
શું છે INX મીડિયા કેસ ?
ચિદમ્બરમ પર પ્રથમ મોટો આરોપ INX મીડિયા ગ્રુપમાં 305 કરોડ રૂપિયાના વિદેશી ફંડને લઇને FIPBની મંજૂરી આપવાનો છે. આ મામલો 2007નો છે જ્યારે ચિદમ્બરમ નાણાંમંત્રી હતા. આ અંગેનો ખુલાસો ત્યારે થયો જ્યારે INXની પ્રમોટર ઇન્દ્રાણી મુખર્જીની ઇડીએ પુછપરછ કરી. ઇંદ્રાણીએ ઇડીની પુછપરછમાં જણાવ્યું કે ચિદમ્બરમે ડીલના બદલે કાર્તિને વિદેશના નાણાં મામલે મદદ કરવાની વાત કરી હતી