ચીનમાં, રોગચાળાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઝડપથી ફેલાતા કારોના વાયરસને કારણે મૃત્યુઆંક વધીને 722 થઈ ગયો છે, જ્યારે કુલ 34,546 લોકોને ચેપ લાગ્યો છે. આ દરમિયાન, કારોનાના જીવલેણ વાયરસનો ગઢ ગણાતા વુહાનમાં દર્દીઓને ખાવા માટે કાચબાનું માંસ આપવામાં આવી રહ્યું છે.
ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર
દર્દીઓને આપવામાં આવે છે કાચબાનું માસ
વીડિયો પણ થયો છે વાયરલ
વુહાનની હોસ્પિટલોના આ નિર્ણય પર નિષ્ણાતો ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે, કારણ કે માનવામાં આવે છે કે કારોનાનો વાયરસ ચામાચિડીયાનું સૂપ પીને માણસોમાં ફેલાયો છે.
ખોરાકમાં પીરસવામાં આવે છે કાચબાનું માસ
ડેઇલીમેલના અહેવાલ મુજબ હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનની હોસ્પિટલોમાં અલગ-અલગ દર્દીઓને રાત્રિભોજન માટે કાચબાનું માંસ પીરસવામાં આવે છે. ચાઇનીઝ મીડિયામાં બહાર પાડવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, "આજના ખોરાકમાં નરમ શેલવાળા કાચબાના માંસનો પણ સમાવેશ થાય છે." ચાઇનીઝ પરંપરાગત વિજ્ઞાનમાં કાચબાના માંસને પોષક તત્વોથી ભરેલું માનવામાં આવે છે.
કાચબાને માનવામાં આવે છે પ્રોટીન યુક્ત
ચીની લોકોનું માનવું છે કે તેમના દેશમાં જોવા મળતા કાચબાઓ પ્રોટીનથી ભરેલા છે અને બીમાર લોકો ઝડપથી સુધારે છે. આ કાચબા જંગલ અથવા સંવર્ધન કેન્દ્રોમાંથી લાવવામાં આવે છે અને સ્વાદિષ્ટ સૂપ બનાવવા માટે પાણીની અંદર નાખવામાં આવે છે. કાચબાના સૂપનો આ વીડિયો ચાઇનીઝ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને કારોના વાયરસ સામે લડવા માટે બનાવવામાં આવેલી હંગામી હોસ્પિટલમાં શૂટ કરવામાં આવ્યો છે.
મહિલાનો વીડિયો થયો વાયરલ
આ વીડિયોમાં એક મહિલા દર્દી કહે છે કે ભાઈઓ અને બહેનો, તમે ખાસ મોરચા પર લડી રહ્યા છો અને અમે પણ તમારી સાથે મોરચા પર લડી રહ્યા છીએ. આ વિડિઓમાં, એક દર્દી કહે છે કે આપણા આજના ખોરાકમાં કાચબાના નરમ ખાલવાળા માંસ શામેલ છે. આ દર્દીઓને હોસ્પિટલમાં ચપ્પલ, ટુવાલ, બ્રશ અને ટાઇલ્ડ પેપર આપવામાં આવી રહ્યા છે. દરમિયાન, એક ચીની વૈજ્ઞાનિકે માણસોમાં કરોના વાયરસના પ્રવેશ વિશે એક અલગ દાવો કર્યો છે.
ચામાચિડિયાથી નહીં પેંગોલિનથી ફેલાયો કોરોના
ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ ચામાચડિયા અથવા સાપ ખાવાથી માણસમાં પહોંચ્યો નથી પરંતુ તેની પાછળ પૈંગોલિન (વિશાળ કદ ધરાવતી માછલી) જવાબદાર છે. સાઉથ ચાઇના એગ્રીકલ્ચર યુનિવર્સીટીના સંસોધનકર્તાઓએ કહ્યું કે પૈંગોલિનના કારણે કોરોના વાયરસ પહોંચ્યો છે. આશરે 1 હજાર જંગલી જાનવરોના નમૂનાની તપાસ બાદ ચીની સંશોધકોએ દાવો કર્યો છે કે, જીનોમ સિક્વેન્સના આધાર પર જોઇએ તો કોરોના વાયરસ પેંગોલિનમાંથી 99 ટકા મળી આવે છે.
રાષ્ટ્રપતિ શી ચિનપિંગનો કડક આદેશ
રાષ્ટ્રપતિ શી ચિનપિંગને કડક શબ્દોમાં આદેશ કર્યો છે કે હુબેઈમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નહીં નીકળે. સમગ્ર દુનિયામાં આ વાયરસ ન ફેલાય તે માટે જિનપિંગ દ્વારા નિર્ણય લેવાયો છે. વુહાનનાં પૂર્વ ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ યાંગ ગાંગહુનને જણાવ્યું હતું કે, જો હુબેઈની ઘેરાબંધી ન કરાઈ હોત તો બિમાર લોકો સારવાર માટે કોઈ પણ સ્થળે જવા તૈયાર થઈ જાત. જેનાં કારણે સમગ્ર ચીન જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયું હોત.
કોરોનાની માઇક્રોસ્કોપ દ્વારા લેવાયેલી તસવીર
કોરોના વાયરસથી ચીનમાં કહેર સર્જાયો છે અને અત્યાર સુધી આ ખતરનાક વાયરસ ત્યાં ત્રણસોથી વધુ લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે ઘણા લોકોની હાલત ગંભીર છે. આખું વિશ્વ આ વાયરસથી ભયભીત છે અને વૈજ્ઞાનિકો તેની રસીની શોધમાં રાત-દિવસ ડૂબ્યા છે. ત્યારે હવે ખૂબ જ ખતરનાક કોરોના વાયરસની વાસ્તવિક તસવીર પણ માઇક્રોસ્કોપ દ્વારા દુનિયા સામે આવી છે, જે લોકોને આશ્ચર્યજનક બનાવે છે.
કોરાના વાયરસે દુનિયાભરમાં મચાવ્યો હાહાકાર
ચીનનના વૂહાનથી ફેલાય રહેલો કોરોના વાયરે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતે કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન શહેરમાંથી રવિવારે 323 ભારતીયો અને માલદીવના સાત નાગરિકોને લઇને એર ઇન્ડિયાનું બીજુ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં ત્યાંથી 654 લોકોને ભારત લાવવામાં આવી ચૂક્યાં છે.
શું છે નોવેલકોરોનાવાયરસ ? (2019 Novel Coronavirus)
2019માં નોવેલ કોરોનાવાયરલને 2019-nCoV નું પણ નામ આપવામાં આવ્યું છે. આ વાયરસ પ્રથમ વખત ચીનના વુહાન શહેરમાં ફેલાયો હતો. આ વાયરસના નામમાં નોવેલ લગાવવામાં આવ્યું છે કેમકે આ પહેલા તે ક્યારેય જોવા મળ્યો નથી.
કોરોના વાયરસના લક્ષણો
વારંવાર તાવ આવવો અથવા ઉંચા તાપમાને તાવ આવવો
તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ રહેવી
માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
આ રોગના લક્ષણોમાાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાાં તકલીફ વગેરે જોવા મળે છે.
કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે શું ધ્યાન રાખવું
રોગના અટકાવ અને શનયાંત્રણ માટે સીઝનલ ફ્લુની જેમ દદીને આઈસોલેશનમાાં રાખવો
પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરવો
વારાંવાર સાબુથી હાથ ધોવા
હસ્ટતધૂનનના બદલે નમસ્ટકારથી અશભવાદન કરવું
ભીડભાડ વાળી જગ્યાએ ન જવુાં વગેરે જેવી તકેદારી રાખવી
વય પ્રમાણે ગરમ પાણી પીવું
તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળો
ગળાને શુષ્ક ન પડવા દો
ડબ્લ્યુએચઓએ અત્યાર સુધીમાં છ વખત ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરી છે
કોરોના વાઈરસને ‘ગ્લોબલ ઈમર્જન્સી’ જાહેર કરવામાં આવ્યા બાદ વાઈરસ સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નો વધારવામાં આવ્યા છે. વાઈરસ વધારે દેશોમાં ન ફેલાય તે માટે ડબ્લ્યુએચઓ દરેક દેશ સાથે વાતચીત કરીને આગામી રણનીતિ પર કામ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓએ અત્યાર સુધીમાં છ વખત ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરી છે. વર્ષ ૨૦૦૭માં ચીનમાં સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) ફેલાયા બાદ પહેલીવાર ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. ત્યારપછી વર્ષ ૨૦૦૯માં સ્વાઈન ફ્લૂના કારણે, ૨૦૧૪માં પોલિયો, ૨૦૧૪ અને ૨૦૧૯માં ઈબોલા અને ૨૦૧૬માં ઝીકા વાઈરસ ફેલાયા બાદ ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.