ફિરોઝા રત્ન ગુરૂ ગ્રહને મજબૂત કરવા માટે પહેરવામાં આવે છે. તેના પ્રભાવથી રાહુ અને કેતુનો અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે. તે ઉપરાંત આ રત્ન પહેરવાથી પ્રેમ, વિવાહ અને કરિયરમાં પણ સફળતા મળે છે.
રત્નોની સીધી અસર મનુષ્યના જીવન પર પડે છે
ફિરોઝા રત્નથી થશે લાભ
કરીયર, પ્રેમ અને લગ્નમાં થશે લાભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રત્નોની સીધી અસર મનુષ્યના જીવન પર પડે છે. દરેક ગ્રહ માટે અલગ અલગ રત્ન હોય છે. જે પ્રકારે ગુરૂની શુભતા માટે પુખરાજ ધારણ કરવામાં આવે છે. તેવી જ રીતે ફિરોઝા રત્ન પણ ગુરૂને મજબૂત કરવા માટે પહેરવામાં આવે છે. ફિરોઝા રત્નના બીજા પણ ઘણા લાભ છે. એવામાં જાણીએ આ રત્નને કઈ રીતે ધારણ કરી શકાય છે અને તેને ઘારણ કરવાથી શું-શું લાભ મળે છે.
ફિરોઝા ધારણ કરવાના ફાયદા
ફિરોઝા ઘાટા વાદળી રંગનું રત્ન છે. આમ તો તે ગુરૂનો રત્ન છે. પરંતુ રાહુ-કેતુને પણ શાંત કરે છે. તેને ઘારણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ મદદ મળે છે. આ ઉપરાંત આ અત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરે છે. દુષ્ટ આત્માઓથી બચવા માટે ફિરોઝા મજજ તકે છે.
આ રત્ન દુર્ભાગ્યને દબર કરી સૌભાગ્ય પ્રદાન કરે છે. તે ઉપરાંત જો અંગત જીવનમાં કોઈ પ્રકારે તણાવ આવે છે તો ફિરોઝા પહેરવાથી તેનાથી મુક્તિ મળી શકે છે. આટલું જ નહીં, પ્રેમ વિવાહ અને કરિયરમાં પણ સફળતા મળે છે.
આ રાશિના લોકોએ ધારણ કરવો જોઈએ ફિરોઝા
જ્યોતિષ અનુસાર ફિરોઝા ઘન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ઉપરાંત મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો પણ તેને ધારણ કરી શકે છે.
ક્યારે અને કઈ રીતે ધારણ કરવો ફિરોઝા
ફિરોઝાને ધારણ કરવા માટે ગુરૂવાર અને શુક્રવારનો દિવસ સૌથી સારો માનવામાં આવે છે. તમે ઈચ્છો તો શનિવારના દિવસે પણ તેને પહેરી શકો છો. ફિરોઝા રત્ન ધારણ કર્યા પહેલા દૂધ અથવા ગંગાજળથી તેને શુદ્ધ કરી લો. સોના અથવા તાંબાની ધાતુમાં પહેરવાથી લાભ થાય છે.