અમરેલીમાં ચાલુ ST બસનું ટાયર નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે સદનસીબે 40 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. રાજુલા અમદાવાદ રૂટની બસમાં આ ઘટના બની હતી અને લાઠી નજીક ચાવંડ ગામ પાસે આ બનાવ બન્યો હતો. ત્યારે ST વિભાગની બેદરકારી સામે અનેક સવાલો ઉઠયા હતા.
આ ઉપરાંત બે-ત્રણ દિવસ અગાઉ જૂનાગઢમાં ST તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. કેશોદના જૂનાગઢ રોડ પર ST બસનું ટાયર નિકળવાની ઘટના બની હતી. રાજકોટથી માંગરોળ તરફ જતી બસનો કેશોદમાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં 25થી વધુ મુસાફરો સવાર હતા. જોકે સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જનહાનિ થઈ ન હતી.
કેશોદના જૂનાગઢ રોડ પર ST બસનું ટાયર નિકળવાની ઘટના બાદ બસ ચાલકે જણાવ્યુ કે બોલ્ટ ઢીલા હોવાના કારણે ટાયર નિકળ્યું હતું અને આ ઘટનામાં કોઈ જનહાનિ થઈ નથી. મહત્વનું છે કે ST દ્વારા સલામત સવારીના સ્લોગન આપવામાં આવે છે અને વારંવાર થતા STના અકસ્માતથી STનું સ્લોગન માત્ર નામનું હોય તેવુ લાગી રહ્યુ છે.