છેલ્લા 50 વર્ષમાં આપણા ખાદ્યપદાર્થો અને ખાવાની રીતોમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. આપણે પારંપરિક રીતે જે અનાજ અને શાક ખાતા હતા તે આપણને બિમારીઓથી બચાવતા હતા. હવે ઘઉં, ચોખા, બટાકા ખાવાનુ ચલણ વધુ છે. પહેલા અનાજ સીઝન પ્રમાણે ખવાતા હતા. થોડા સમય પહેલા ખુદ વડાપ્રધાને લોકોને મોટુ-જાડુ અનાજ ખાવાની અપીલ કરી હતી. શું છે આ સદીઓથી પ્રચલિત પારંપરિક અનાજ અને શાક. શું છે તેના ફાયદા
વડાપ્રધાને ખુદ ટ્વીટ કર્યુ હતુ કે જે ભોજન આપણે છોડી દીધુ છે તેને દુનિયાએ અપનાવવાનું શરુ કરી દીધુ છે. જવ, જુવાર, રાગી, કોદળી, સામો, બાજરો ક્યારેક આપણી ખાણીપીણીનો ભાગ હતા, પરંતુ તે આપણી થાળીમાંથી ગાયબ થઇ ચુક્યા છે. હવે આ પોષક આહારની આખી દુનિયામાં ડિમાન્ડ છે.
જુવાર
તેમા ભરપુર માત્રામાં પ્રોટીન, વિટામીન બી કોમ્પ્લેક્સ, પોટોશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. આ લો કેલરી ફુડ છે. તેને ખાવાથી શરદી-ઉધરસ અને પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. તેના નિયમિત સેવનથી ઉર્જા મળે છે. તે લોહી વધારવામાં અને સાફ કરવામાં પણ મદદરુપ છે.
બાજરો
આયરન, ઝિંક, વિટામીન બી, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને માઇક્રોન્યુટ્રીએન્ટ્સ તેમાં વધુ માત્રામાં હોય છે. 100 ગ્રામ બાજરામાં 11.6 ગ્રામ પ્રોટીન, 67.5 ગ્રામ કાર્બોહાઇડ્રેડ, 8 મિલિગ્રામ લોહતત્વ અને 132 મિલિગ્રામ કેરોટીન હોય છે. કેરોટીન આંખોને સુરક્ષા આપે છે.
મકાઇ
તેમાં ઓછી કેલરી સાથે વિટામીન એ, બી, ઇ અને ઘણા બીજા સુક્ષ્મ પોષકતત્વો હોય છે. તેમાં ફાઇબરની માત્રા ઉંચી હોય છે. તે કબજિયાત, કોલેસ્ટ્રોલ, કેન્સર અને પેટ સંબંધિત રોગોમાંથી રાહત આપે છે. માનસિક બિમારીઓને બચાવે છે. તે એન્ટી એજિંગનું પણ કામ કરે છે.
રાગી
તે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. તેમાં પચાવનાર પ્રોટીન વધુ માત્રામાં મળી આવે છે. તેમાં આરોગ્ય માટે ખુબ જરુરી એવા એમિનો એસિડ મળી આવે છે. બીજા અનાજની તુલનામાં રાગીમાં પાંચ ગણુ વધુ કેલ્શિયમ હોય છે. તેમાં ફોસ્ફરસ અને આયર્ન પણ વધુ હોય છે.
જવ
ડાયાબીટિશ અને બોડી ડિટોક્સ માટે ઉપયોગમાં લેવાતા જવમાં આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બી કોમ્પલેક્સ, ઝિંક, મેંગેનીઝ, સેલેનિયમ, પ્રોટીન, એમીનો એસિડ, ડાયટ્રી ફાઇબર્સ અને એન્ટી ઓક્સિડન્ટ વધુ હોય છે.
ભાજીઓ
ચિરોટા, ચોલાઇ, લુણી,પોઇ જેવી ભાજીઓ પહેલા ખવાતી હતી. તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને આયરનની ભરપુર માત્રા હોય છે. હવે આ ભાજીઓ લોકો ઓછી આરોગે છે.