ડુંટી પર હળદર લગાવવાછી તમને ઘણા ફાયદા થશે. હળદળમાં ઘણા ઔષધીય ગુણ હોય છે.
ડુંટી પર લગાવો હળદર
થશે ગજબના ફાયદા
સ્વાસ્થ્યને પણ થશે લાભ
ડુંટી પર હળદર લગાવવાથી (Turmeric on Belly Button) તમને ઘણા પ્રકારના ફાયદા થઈ શકે છે. હળદરમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, સોડિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ઘણા તત્વો મળે છે. આ ઉપરાંત હળદરમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે. જેનાથી પાચન ક્રિયા સારી રહે છે. ડુંટી પર હળદરનો લેપ તમને ઘણા પ્રકારની સ્કિન પ્રોબ્લેમ્સથી પણ બચાવે છે.
ડાયજેશનમાં મદદ
હળદરને લગાવવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમને ઠીક રાખવામાં મદદ મળે છે. હળદરમાં ફાઈબરની ભરપૂર માત્રા હોય છે. તેને ખાવા અને લગાવવાથી તમને ફાયદો થઈ શકે છે. ભોજન પચાવવા માટે ફાઈબર એક જરૂરી તત્વ છે. તેનાથી પેટનો દુખાવો અથવા અપચાની સમસ્યા નથી થતી.
પીરિયડ્સમાં દુખાવાથી રાહત
પીરિયડ્સ વખતે દુખાવા અને પેટમાં ચુક આવવાની સમસ્યામાં પણ હળદરનું સેવન તમને ફાયદો પહોંચાડી શકે છે. તેનાથી પીરિયડ્સ વખતે થનાર દુખાવામાં પણ રાહત મળે છે.
ઈન્ફેક્શનથી બચાવ
હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લામેન્ટ્રી ગુણ હોય છે. ડુંટી પર હળદર અને સરસોનું તેલ મિક્ષ કરીને લગાવવો, તેનાથી બેક્ટીરિયલ અને શિયાળાની ઋતુમાં થનાર વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાશે.
પેટમાં સોજાની સમસ્યા
અપચો અથવા કબજીયાતના કારણે પેટમાં દુખાવો કે સોજાની સમસ્યા થાય છે તો તેનાથી પણ તમે ડુંટી પર હળદર અને નારિયેળનું તેલ મિક્ષ કરીને લગાવી શકો છો. તેનાથી તમને સોજામાં પણ રાહત મળશે.
ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે
હળદરમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. રાતે ડુંટી પર હળદર લગાવીને સુવો. તેનાથી વજન ઓછુ કરવામાં પણ મદદ મળશે.
રાત્રે સુતા પહેલા લગાવવી શા માટે જરૂરી?
ડુંટી પર હળદર લગાવ્યા બાદ થોડો સમય આરામ કરો. તેનાથી શરીર હળદરના ગુણોને એબ્ઝોર્બ કરી શકશે. આજ કારણ છે કે રાતમાં સુતી વખતે હળદરને લગાવવાની સલાહ આપવામાં આવે છે. ડુંટી પર હળદર સરસવ કે નારિયેળના તેલની સાથે લગાવો. તેનાથી હળદરના ગુણ ત્વચા પર અસરદાર રીતે કામ કરશે.