શિયાળામાં સામાન્ય રીતે લોકો વધુ ચા પીતા હોય છે, એમાં પણ ચાના શોખીન લોકો ચામાં આદુ, ફુદીનો મસાલાવાળી ચા પીતા હોય છે. જોકે, ઘણી વખત એક દિવસમાં જે લોકો 5-6 કપ ચા પી જતાં હોય છે તેમણે ઘણમી સમસ્યાઓ પણ થાય છે. પણ કોણે કીધું ચા પીવાથી નુકસાન જ થાય છે. જો તમે આદુ, તજ અને હળદરની ચા પીશો તો, માઈગ્રેન, અપચો, પીરિયડ્સની સમસ્યાઓ થશે દૂર સાથે જ અન્ય પણ ફાયદાઓ મળશે. આ ચા બીમારીઓથી બચાવશે અને શરીરને અંદરથી મજબૂત પણ બનાવશે. તો ચાલો તમે પણ જાણી લો આ ચા વિશે અને તેના ફાયદાઓ.
આજકાલ રોગો થવાનો ખતરો ખૂબ જ વધી ગયો છે
ડેઈલી લાઈફમાં સ્વસ્થ રહેવા આ દેશી ડ્રિંક પીવાનું શરૂ કરી દો
આદુ, તજ અને હળદરની ચા પીશો તો, માઈગ્રેન, અપચો, પીરિયડ્સની સમસ્યાઓ થશે દૂર
ડ્રિંક બનાવવાની રીત
સૌથી પહેલાં એક વાસણમાં 1 ગ્લાસ પાણી ઉકળવા મૂકો. પછી તેમાં અડધી ચમચી આદુનો રસ, અડધી ચમચી હળદર અને એક નાનો ટુકડો તજનો નાખીને 5-7 મિનિટ ઉકાળો. પછી તેને ગાળીને સવારે ખાલી પેટ અને રાતે સૂતી વખતે પીવો.
ફાયદા
ઈમ્યૂનિટી
સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે આ હેલ્ધી ડ્રિંક રોજ પીવાથી ઈમ્યૂનિટી વધે છે અને રોગો અને ઈન્ફેક્શન થવાનો ખતરો ઓછો રહે છે.
શરદી ખાંસી
આ હેલ્ધી ડ્રિંક પીવાથી શિયાળામાં શરીરને ગરમાવો મળે છે. સાથે જ આ ડ્રિંક પી લેવાથી શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓ પણ થતી નથી.
ડાયાબિટીસ
આ નેચરલ ડ્રિંક પીવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસ સામે રક્ષણ પણ મળે છે.
શરીરને ડિટોક્સ કરે છે
આ ચા પીવાથી લોહીમાં રહેલાં હાનિકારક તત્વો દૂર થાય છે અને બોડી હેલ્ધી રહે છે.
ઉબકાં
આ ચા પેટમાં એસિડ લેવલને ઓછું કરે છે. જેનાથી ઉબકાંની સમસ્યા દૂર થાય છે. સાથે જ પ્રેગ્નેન્સીમાં મોર્નિંગ સિકનેસની સમસ્યા પણ દૂર થાય છે.
માઈગ્રેન
આ ચામાં રહેલાં એન્ટીઈન્ફ્લામેટરી તત્વ સોજાને દૂર કરવામાં મદદ કરે છે. સાથે માઈગ્રેનના દર્દથી રાહત આપવામાં પણ કારગર છે.
અપચો
જો પેટ ભરેલું અને ભારે લાગે તો આ ચા રોજ પીવો. આ પેટનું એસિડ લેવલ ઓછું કરે છે અને ડાઈજેશનને પણ ઠીક રાખે છે.
પીરિયડ્સ
પીરિયડ્સ સમયે પેટમાં દુખાવો થતો હોય તો આ ચા પીવો. આમાં રહેલાં તત્વ આ સમસ્યાથી બચાવશે.
વજન
જો તમારે વજન ઘટાડવું છે તો રોજ સવારે ખાલી પેટ અને રાતે ડિનર પછી આ ચા પીવો. આનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થસે અને વજન પણ ઘટશે.