ચમકીલા પીળા રંગને કારણે હળદરને ભારતનું કેસર કહેવામાં આવે છે. તેમા ઘણા ઔષધીય ગુણો હોય છે. જે પેટ, ત્વચા અને શરીરના રોગોમાં ફાયદો પહોંચાડે છે. અહીં જાણીએ હળદરના ગુણો વિશે.
પેટમાં ગેસ બનવા પર હડદરનો પાઉડર અને મીઠું 5-5 ગ્રામની માત્રામાં પાણીમાં મિલાવી પીવાથી ગેસમાં રાહત મળે છે.
દિવસમાં 3 વાર રાત્રે સૂતા સમયે દાદ પર હળદરનો લેપ કરવો. આ લેપને કારણે દાદમાં ફાયદો મળશે.
શરદી, ઉધરસ અને કફની સમસ્યામાં હળદર વાળુ દૂધનું સેવન લાભકારી સાબિત થાય છે. તેનાથી શરદી, ઉધરસમાં રાહત મળે છે. ઉધરસ તથા કફમાં 1 ચમચી હળદરનો પાઉડર રોજ 3 વાર ગરમ પાણીમાં પીવો જોઇએ. તેથી કફમાં રાહત મળે છે.
કાચી (તાજી) હળદર ક્રશ કરીને તેનો માથા પર લેપ લગાવાથી ચક્કર આવતા હોય તો બંધ થઇ જાય છે. સાથે જ ગરમ દૂધના સેવનથી ફેફસામાં જમા કફ નીકળી જાય છે.
ખીલ થયા હોય ત્યારે હળદરનો પાઉડરને ગુલાબ જળમાં મિલાવી લગાવવાથી ખીલ જલ્દી જ ઠીક થઇ જાય છે. અને ત્વચાનો રંગ નિખરી ઉઠે છે.