પશ્ચિમી દેશોના મુકાબલે ભારતમાં પેટના કેન્સરના કેસો ઓછા હોય છે. સંશોધકોએ જણાવ્યું છે કે તેનું કારણ છે ભારતમાં લોકો ભોજનમાં ખાસ મસાલાઓનો ઉપયોગ કરે છે.
ભારતીય મસાલાઓમાં છે તાકાત
હળદર છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં છે અસરકારક
પશ્ચિમી દેશોના મુકાબલે ભારતમાં પેટના કેન્સરના કેસ ઘણા ઓછા છે. સંશોધકોના જણાવ્યા અનુસાર તેનું કારણ છે. ભારતમાં લોકો ભોજનમાં હેળદરનો ઉપયોગ કરે છે. તેનાથી કેન્સરનું જોખમ ઘટે છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર હળદરમાં રહેલા કરક્યુમિન કેન્સર સેલ્સને મારીને ટ્યુમરને 80 ટકા સુધી વધવાથી રોકે છે.
સંશોધકોએ જાણ્યું કે હળદરમાં હાજર કરક્યુમિન એક સક્રિય તત્વ છે. જેમાં ઘણી બીમારીઓથી છુટકારો અપાવવાની ક્ષમતા છે. યુકેના કેન્સર રિસર્ચના જણાવ્યા અનુસાર, હળદરમાં રહેલું કરક્યુમિન કેન્સર સેલ્સને મારવામાં સક્ષમ છે.
હળદરમાં રહેલા આ ખાસ તત્વ કરે છે કામ
એક રિપોર્ટ અનુસાર અમેરિકન ફિઝિશિયન માઈકલ ગ્રેગરે કહ્યું છે કે પશ્ચિમી દેશોના મુકાબલે એ ક્ષેત્રના લોકોમાં પેટના કેન્સરના કેસો ઓછા જોવા મળ્યા જ્યાં ભોજનમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં કેન્સર રેટ પશ્ચિમી દેશોની તુલનામાં સૌથી ઓછો છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર, ભારતીય પુરૂષોની તુલનામાં અમેરિકી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સર વધારે જોવા મળે છે.
ઈન્ડિયન ડાયેટ કેન્સરના ખતરાને ઓછુ કરે છે
ડૉ. ગ્રેગરે જોયું કે ભોજનની આદતો તેનું કારણ હોઈ શકે છે. તેમાં માસનું ઓછુ સેવન. વધારે પ્લાન્ટ બેસ ડાયટ અને મસાલાઓનું વધુ સેવન સામેલ છે. ડૉ. માઈકલ ગ્રેગરે ઈન્ડિયન ડાયેટને લઈને કહ્યું કે 40 ટકા ભારતીય વેજીટેરિયન છે. માંસનું સેવન કરતા લોકો પણ ખૂબ વધુ પ્રમાણમાં તેનું સેવન નથી કરતા. ભારતીય લોકો ધણી બધી દાળ ખાય છે અને આ પ્રકારના મસાલાનું સેવન કરે છે. આ વસ્તુઓ કેન્સર જેવી ગંભીર બીમારીઓના ખતરાને ઓછું કરે છે.
આ રીતે કામ કરે છે હળદર
ડૉ. ગ્રેગરે જણાવ્યું કે ભારતીય મસાલા હળદરમાં કરક્યુમિન એક એવું એજેન્ટ છે. જેનું હાલમાં કેન્સરને રોકવા માટે ક્લીનિકલ ટેસ્ટ ચાલી રહ્યું છે. શોધથી જાણકારી મળી કે હળદરમાં રહેલા કરક્યુમિન ત્રણ સ્તરોમાં કામ કરે છે. કે કાર્સિનોઝેન્સના આપણા સેલ્સ સુધી પહોંચ્યા પહેલા જ પોતાનું કામ શરૂ કરી દે છે. યુકે કેન્સર રિસર્ચનું કહેવું છે કે કરક્યુનિમનમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. આ બ્રેસ્ટ કેન્સર, પેટનું કેન્સર, આંતરડાનું કેન્સર અને ત્વચાના કેન્સર સેલ્સ પર પ્રભાવ કરે છે.