આ ભૂકંપ તૂર્કીનાં દક્ષિણ-પૂર્વી પ્રાંત કહારનમાનસમાં કેન્દ્રિત હતો. તે એટલો ભીષણ હતો કે મોટાભાગનાં લોકો બિલ્ડિંગની નીચે જ દબાઈ ગયાં.
ભૂકંપ બાદ તૂર્કી 5થી 6 મીટર ખસક્યું
ભૂકંપ વૈજ્ઞાનિકોએ આપી આ માહિતી
આશરે 16000 લોકો મૃત્યુ પામ્યાં
તૂર્કી અને સીરિયામાં આવેલા ભીષણ ભૂકંપમાં અત્યારસુધી આશરે 16000 લોકો મૃત્યુ પામ્યાં છે. ભારત સહિત અનેક દેશો તૂર્કીની મદદે પહોંચ્યાં હતાં. ભૂકંપ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તૂર્કી, સીરિયાની તુલનામાં 5થી 6 મીટર ખસકી ગયું છે. આ ટેક્ટોનિક પ્લેટોનાં કારણે થઈ શકે છે.
5થી 6 મીટર ખસક્યું છે તૂર્કી
ઈતાલવી સીસ્મોલૉજિસ્ટ પ્રોફેસર કાર્લો ડોગ્લિયોનીએ દાવો કર્યો છે કે અનુમાન અનુસાર તૂર્કી 2 પ્લેટોં ખસક્યાં બાદ સીરિયાની સરખામણીએ વાસ્તવમાં 5થી 6 મીટર ખસકી ગયું છે. પાડોશી દેશોમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અરેબિકા પ્લેટનાં સંબંધમાં અનાતોલિયન પ્લેટનાં સંબંધમાં અનાતોલિયન પ્લેટનાં દક્ષિણ-પશ્ચિમની તરફ વધવાને કારણે હિંસક ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપની તીવ્રતા 5થી 6 ડિગ્રીની વચ્ચે
નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઑફ જિયોફિઝિક્સ એન્ડ જ્વાલામુખી વિજ્ઞાનનાં અધ્યક્ષ પ્રોફેસર ડોગ્લિયોનીએ કહ્યું કે રિક્ટર પર ક્રમશ: 7.8 અને 7.2નાં 2 ભૂકંપ, ચાર પ્લેટોંનાં ઈન્ટરસેક્શન પર એક જ સિસમિક સિક્વેન્સનો એક ભાગ હતો જે સતત એકબીજા સાથે અથડાતા હતાં. આ ચાર પ્લેટો એનાટોલિયન, અરેબિકા, યૂરેશિયન અને અફ્રીકી છે. ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં ફેરફાર ઉપર વાત કરતાં તેમણે જણાવ્યું કે વિશાળ ધોવાણ 190 કિલોમીટર લાંબુ અને 25 પહોળા ક્ષેત્રને શામેલ કરે છે જે તેજીથી જમીનને કંપાવી રહ્યો હતો. મોટા ભૂકંપ બાદ પણ તૂર્કીમાં ભૂકંપ આવતાં રહે છે. જેની તીવ્રતા 5થી 6 ડિગ્રીની વચ્ચે રહેતી જોવા મળે છે.
16000 લોકો મૃત્યુ પામ્યાં
ધારાશાહી થયેલા મકાનોમાંથી શવોને કાઢ્યાં બાદ તૂર્કી અને સીરિયામાં મૃત્યુ પામેલાઓની સંખ્યા 16000ને પાર થઈ ગઈ છે. રાહતકર્મીઓ હજુ પણ ત્યાં તપાસ અને બચાવનું કાર્ય કરી જ રહ્યાં છે. આજે અનેક લોકોને બચાવીને કાઢી લેવામાં આવ્યાંની માહિતી પણ મળી આવી હતી.