અમેરિકાએ તુર્કીની સરહદ પરથી પોતાના સૈનિકો હટાવવાનો નિર્ણય લઇ લીધો હતો. બુધવારના રોજ તુર્કીએ અમેરિકાની સેના હટી જતા સીરિયાના કુર્દિશ લડાખો પર બોમ્બ ફેંકી હુમલો કર્યો હતો. એક મળતી જાણકારી મુજબ આ હુમલામાં સાત નાગરિકોના મોત નિપજ્યાં છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ટવિટર પર આ હુમલાને લઇને જાણકારી આપી હતી. તેમણે આ ઓપરેશનને 'ઓપરેશન પીસ સ્પ્રિંગ' નામ આપ્યું છે.
સેના હટી ગયા બાદ થોડા કલાકોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના સહયોગી તુર્કીને ચેતાવણી આપી હતી કે જો તે સીરિયા વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરશે તો તેમની અર્થવ્યવસ્થા બરબાદ કરી દેવામાં આવશે. અમેરિકાના આ પગલાથી IS વિરુધ્ધ લડાઇમાં તેના મુખ્ય સહયોગી કુર્દ એકલા પડી ગયા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી હતી કે...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે તુર્કી તર્કસંગત કાર્ય કરશે. ટ્રમ્પે ઉત્તર સીરિયામાં અંકારામાં પોતાના ઓપરેશનને જો માનવીય રીતે નહીં કર્યું તો કડક કાર્યવાહી હેઠળ આકરા પ્રતિબંધ લાદવા પર વિચાર કરવો પડશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ સીરિયામાં કેદ કરાયેલા કેટલા ખતરનાક IS (ઇસ્લામિક સ્ટેટ)ના આતંકીઓને કોઇ અજ્ઞાતસ્થળ પર સ્થળાંતર કરી દેવામાં આવ્યાં છે. ટ્રમ્પે કહ્યું કે તેમને એવી જગ્યા પર રાખવામાં આવ્યાં છે જ્યાંથી સીરિયામાં તુર્કીના સેન્યની ઘૂસણખોરી દરમિયાન તેમના પર નજર રાખી શકાય.