ભારતની NDRFની બે ટીમ તુર્કીયે માટે રવાના થઈ ગઈ છે. જેમાં રાહત અને બચાવ કાર્યમાં એક્સપર્ટ જવાનો અને મેડિકલ સ્ટાફ સાથે ચાર શ્વાનને પણ તુર્કીયે મોકલવામાં આવ્યા છે.
એનડીઆરએફના 101 જવાનો વાળી બે ટીમ તુર્કીયે નીકળી
મેડિકલ સ્ટાફ સાથે ચાર ડોગ્સને પણ તુર્કીયે મોકલવામાં આવ્યા
ભારતની NDRFની ટીમ ચોથી વખત ઇન્ટરનેશનલ ઓપરેશનમાં ગઈ
તુર્કીયેમાં આવેલ ભૂકંપમાં હજારો લોકોની મૃત્યુ થઈ ચૂકી છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળનીચે દબાયેલા છે. કાટમાળમાં દબાયેલ લોકોને બચાવવા માટે પણ હજુ કામ ચાલી રહ્યું છે અને એ કામમાં મદદ કરવા માટે દુનિયાના ઘણા દેશોએ તુર્કીયેને મદદ મોકલી છે. ભારત એ પણ એનડીઆરએફની બે ટીમ તુર્કીયે માટે રવાના થઈ ગઈ છે. જેમાં રાહત અને બચાવ કાર્યમાં એક્સપર્ટ જવાનો અને મેડિકલ સ્ટાફ સાથે ચાર ડોગ્સને પણ તુર્કીયે મોકલવામાં આવ્યા છે.
Julie, Romio among 4-member dog squad engage in rescue ops in quake-hit Turkey
એનડીઆરએફના 101 જવાનો વાળી બે ટીમ તુર્કીયે નીકળી
તુર્કીયે બચાવ કરી માટે મોકલવામાં આવેલ આ શ્વાનોનું નામ છે જુલી, રોમિયો, હની અને રેંબો. ખાસ રીતે ટ્રેન્ડ લેબ્રાડોર બ્રીડના આ શ્વાન ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં બચાવ અભિયાનમાં લાગી જશે. જણાવી દઈએ કે મંગળવારે એનડીઆરએફના 101 જવાનો વાળી બે ટીમ તુર્કીયે નીકળી પડી છે. એનડીઆરએફના ડિરેક્ટર જનરલ અતુલ કરવાલે જણાવ્યું હતું કે તુર્કીયે મોકલવામાં આવેલ ડોગ સ્ક્વોડ અને બંને ટીમો સારી રીતે ટ્રેઈન્ડ અને તમામ જરૂરી સાધનોથી સજ્જ છે. NDRFની ટીમો તુર્કીયેમાં સ્થાનિક એજન્સીઓના નિર્દેશ હેઠળ રાહત અને બચાવ કામગીરી હાથ ધરશે.
તુર્કીયે મોકલવામાં આવેલ એનડીઆરએફની બે ટીમનું નેતૃત્વ કમાન્ડેન્ટ ગુરમિન્દર સિંહ કરવાના છે અને ટીમોમાં ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ દરેક જરૂરી સામાન સાથે મોકલવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારત સરકાર આ મુશ્કેલ સમયમાં તુર્કીયેને તમામ શક્ય મદદ આપવા તૈયાર છે.
Team of NDRF personnel with a specially trained dog squad along with necessary equipment departs for Turkey, for search & rescue operations.#Turkey was hit by three consecutive devastating earthquakes of magnitude 7.8, 7.6 & 6.0 yesterday, killing more than 3,400 people. pic.twitter.com/xGfS6AGBOp
ભારતની એનડીઆરએફની ટીમ ચોથી વખત ઇન્ટરનેશનલ ઓપરેશનમાં ગઈ
જણાવી દઈએ કે એનડીઆરએફની રચના વર્ષ 2006માં કરવામાં આવી હતી અને તેને પહેલી વખત ઇન્ટરનેશનલ ઓપરેશનમાં વર્ષ 2011માં જાપાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી ત્યારે મોકલી હતી. આ પછી વર્ષ 2014માં ભૂટાનમાં રાહત અભિયાન દરમિયાન NDRFની ટીમો પણ મોકલવામાં આવી હતી. ત્રીજી વખત એનડીઆરએફને વર્ષ 2015માં નેપાળ મોકલવામાં આવી હતી. હવે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં ચોથી વખત NDRFને રાહત અને બચાવ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.
જણાવી દઈએ કે તુર્કીમાં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ હતી. ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને હજારો લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક આઠ હજારની આસપાસ પહોંચી ગયો છે અને તેમાં હજુ વધારો થવાની આશંકા છે.