કારતક મહિનાની શુક્લ પક્ષની અગિયારસને કાર્તિક સ્નાન કરી તુલસી તથા શાલિગ્રામ જીનો વિવાહ કરાવવામાં આવે છે. આ વિવાહ કરાવવાથી ઘણા જન્મોના પાપ દૂર થાય છે. આ દિવસે વ્રત રાખવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વખતે આ તહેવાર 20 નવેમ્બરના દિવસે એટલે કે મંગળવારે આવશે. આ અનુષ્ઠાન કારતક સુદ નોમથી શરૂ થઈ જાય છે અને તુલસી વિવાહ સુધી અંખડ દીવો કરવાનો હોય છે.
આ શાલિગ્રામ જી વિષ્ણુજીનુ પ્રતિરૂપ છે. તુલસી વિષ્ણુ પ્રિયા છે. બંનેના વિવાહનો આધ્યાત્મિક અર્થ છે કે તુલસીજીની પૂજા વગર શલીગ્રામજીની પૂજા ના કરી શકાય. હવે જાણીએ તુલસી વિવાહનુ મહત્વ..
- તુલસી વિવાહ કરાવનારે કન્યાદાન બરાબર ફળની પ્રાપ્તિ થાય છે.
- જે દંપતીનું દાંમ્પત્ય જીવન સારુ નથી તે લોકોએ સુખી દાંમ્પત્ય જીવન માટે તુલસી વિવાહ કરાવવા જોઇએ.
- યુવા જે પ્રેમ છે પરંતુ વિવાહ નથી થઇ રહ્યો તે યુવાનો તુલસી વિવાહ કરાવવો જોઇએ.
- તુલસી વિવાહ કરાવવાથી ઘણા જન્મોના પાપ નષ્ટ થઇ જાય છે.
- તુલસી પૂજા કરાવવાથી ઘરમાં સંપન્નતા આવે છે તથા સંતાન યોગ્ય આવે છે.
તુલસી વિવાહની વિધિ:
તુલસી વિવાહમાં તુલસીના છોડને લાલ ચુંદડી ઓઢાડીને લાલ મંડપથી સજાવવામાં આવે છે. શાલીગ્રામજીની કાળી મૂર્તિ હોવી જોઇએ. જો આમ નથી તો વિષ્ણુજીની મૂર્તિ લઇ શકીએ છીએ. ગણેશ પૂજન પછી વાજતે-ગાજતે શાલિગ્રામજીની પધરામણી કરાય છે. અહીં તુલસીજીની આરતી કરવામાં આવે છે અને વિષ્ણુજીને આવાહન કરાય છે. ભગવાન વિષ્ણુ કે શાલીગ્રામજીની પ્રતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવાય છે. વિષ્ણુજીને પીળા વસ્ત્રો ધારણ કરાવીને દહી ધી ખાંડ તેમને સમર્પિત કરવામાં આવે છે. દૂધ-હળદળનો લેપ કરીને શાલીગ્રામ અને તુલસીને ચઢાવવામાં આવે છે. વિવાહની તમામ વિધિ પૂરી થયા પછી તુલસી અને શાલીગ્રામજીના સાત ફેરા ફરાવવામાં આવે છે. કન્યાદાન કરનારા સંકલ્પ લઇને આ મહાન પુણ્ય પ્રાપ્ત કરે છે. આ પ્રકારના વિવાહ કરાવવાવાળાને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે.