આર્થિક તંગી દૂર કરવા માટે ઘણા પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આમાંથી એક ઉપાય તુલસીના છોડનો પણ છે. આ ઉપાયો કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.
આર્થિક તંગી દૂર કરવા અપનાવો આ ઉપાય
ગુરૂવારે તુલસીના આ ઉપાય આપશે લાભ
આર્થિક સંકટ થશે દૂર
તમે ધનની કમીના કારણે પરેશાન છો અથવા ધન સંકંટના કારણે તમારા ઘણા કામ અટકી જાય છે. તો ગુરુવાર તુલસીના છોડ સાથે આ નાનકડો ઉપાય અજમાવો, ચોક્કસપણે તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
ગુરુવારે તુલસીના છોડ પર દૂધ ચઢાવવાથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.
ગુરુવારે એક પીળું કપડું લઈને મંદિરમાં જાઓ અને તુલસીના છોડની આસપાસ ઉગેલા ઘાસને રૂમાલમાં લપેટીને તમારા ઘરમાં ધન સ્થાન પર રાખો. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.
ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં કાળી હળદરને કામિયા સિંદૂર અને ગુગળની ધૂપ લગાવીને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મુકી દો. તેનાથી ધનની સતત વૃદ્ધિ થાય છે.
ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં ચાંદીના નાના ઢાંકણાના ડબ્બામાં નાગકેસર અને મધ ભરીને ધનની જગ્યાએ રાખો. તમારી ગરીબી આશ્ચર્યજનક રીતે દૂર થઈ જશે.
કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના ગુરૂવારે પીપળાના પાંચ પાન લેઈને તેને ચંદનથી રંગીને નદીમાં પ્રવાહિત કરી દો. પર્પાપ્ત માત્રામાં અચલ સંપત્તિ પ્રાપ્ત થશે.
ગુરૂવારના દિવસે પુષ્પ નક્ષત્રમાં ગોરોચનને ચાંદીના ડબ્બામાં મુકીને તેને ધૂપ આપીને અને સિંદૂર લગાવીને તિજોરીમાં મુકી દો. ક્યારેય પણ ધનની કમી નહીં થાય.