ઘરના આંગણામાં લગાવેલી તુલસી જ્યાં ઘરમાં સકારાત્મકતા લાવે છે. હિન્દુ ધર્મમાં તુલસીને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. માં લક્ષ્મીની પૂજાના શાસ્ત્રોમાં અમુક નિયમો જણાવવામાં આવ્યાં છે. આ નિયમોનું પાલન ના કરવાથી જાતકને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
શાસ્ત્રોમાં તુલસીના છોડને લઇને જણાવવામાં આવ્યાં છે નિયમો
જો આ નિયમોનું પાલન નહીં કરો તો મુશ્કેલીનો સામનો કરવો પડશે
તુલસી પૂજા કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
સુખ-સમૃદ્ધી અને ધનની પ્રાપ્તિ થાય છે
નિયમિત રીતે લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી અને ધનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં તુલસીના છોડને લઇને કેટલાંક નિયમો જણાવવામાં આવ્યાં છે. તુલસીને તોડવી, જળ અર્પણ કરવુ અને પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. ગ્રંથોમાં તેનો ઉલ્લેખ મળે છે.
શાસ્ત્રો મુજબ શિવ પરિવારની પૂજાને છોડીને લગભગ બધી દેવી-દેવતાઓની પૂજામાં તુલસીનો પ્રયોગ કરવામાં આવે છે.
તુલસીના પાન તોડવાના નિયમ
માન્યતા છે કે તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી તુલસીના પાન તોડતી સમયે હાથ જોડીને તેમની મંજૂરી લેવી જરૂરી છે. ત્યારબાદ તુલસીના પાન તોડો.
તુલસીના પાન ચપ્પુ, કાતર અથવા નખ વગેરેથી ના તોડવા જોઈએ.
તુલસીના પાન કારણ વગર ના તોડશો. માન્યતા છે કે જો કોઈ આવુ કરે છે તો તેને ઘરમાં દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.
તુલસીને જળ અર્પણ કરવાના નિયમ
તુલસીમાં જળ અર્પણ કરતા પહેલા જાતક આ વાતનુ ખાસ ધ્યાન રાખે કે કોઈ પણ પ્રકારનુ અન્ન-જળ ગ્રહણ ના કર્યુ હોય.
માન્યતા છે કે તુલસીમાં સૂર્યોદયના સમયે જળ અર્પણ કરવુ સર્વોત્તમ માનવામાં આવે છે. આ વાતનો પણ ખાસ ખ્યાલ રાખો કે તુલસીના છોડમાં જરૂરીયાતથી વધુ પાણી અર્પણ ના કરવુ જોઈએ.
શાસ્ત્રોમાં તુલસીમાં જળ અર્પણ કરતી વખતે સિવેલા કપડા પહેર્યા વગર જળ અર્પણ કરવાની સલાહ આપવામાં આવી છે.
રવિવાર અને એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના છોડમાં જળ અર્પણ ના કરશો. માન્યતા છે કે અગિયારસના દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે.