તુલસીના છોડને ઘરના ઉત્તર, ઉત્તર પૂર્વ દિશામાં રાખવો. આ સિવાય ઈશાન ખૂણામાં પણ તુલસીનો છોડ રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે.
તુલસીનો છોડ લક્ષ્મીનું રૂપ મનાય છે
ઓષધિય ગુણોથી ભરપૂર છે તુલસીનો છોડ
ઘરમા યોગ્ય દિશામાં રાખવાથી મળે છે સકારાત્મક ઉર્જા
દરેક હિંદુ ઘરોમાં તુલસીનો છોડ હોય છે. તુલસીની પૂજા કરાય છે. તેને જળ ચઢાવવાની પણ પરંપરા છે. ગ્રંથોમાં તુલસીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે. તુલસીનો છોડ ઘરમાં હોવાથી માનસિક શાંતિ મળે છે અને મન પ્રસન્ન રહે છે.
તુલસીનો છોડ લગાવતી સમયે રાખી લો આ વાતનું ધ્યાન
તુલસીના છોડને લોકો ધાબા પર રાખે છે પણ તેઓ જાણતા નથી કે આમ કરવાથી દોષ લાગે છે. તમે છત પર તુલસીનો છોડ રાખો છો તો તમારી કુંડળીમાં બુધની સ્થિતિ જાણી લેવી જોઈએ. જો બુધની સ્થિતિ ખરાબ છે અને ધાબા પર તુલસીનો છોડ રાખશો તો ધનહાનિના સંકેત ગણાય છે. અનેક લોકો તુલસીના છોડને બાલકનીમાં રાખે છે. આવું કરવું નહીં તેનાથી કેતુની ખરાબ અસર થાય છે.
આ દિશામાં ન રાખો ભૂલથી પણ તુલસીનો છોડ
વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રાખવો નહીં. જો તમે પણ આવું કરો છો તો તમને લાભને બદલે નુકસાન થઈ શકે છે.
આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી થાય છે લાભ
વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘરની ઉત્તર, ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ. આ દિશામાં તુલસીનો છોડ હશે તો ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહેશે. આ સિવાય તમે ઈશાન ખૂણામાં કે ઉત્તર પૂર્વ દિશામાં તુલસીના છોડ લગાવી શકો છો.