હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરના આંગણામાં તુલસી હોય ત્યાં માતા લક્ષ્મી રહે છે. નવુ વર્ષ આવવાનુ છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધી અને સૌભાગ્ય અને ધનનો વાસ થાય. શાસ્ત્રોમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યાં છે, જે ઘરમાં ક્યારેય નાણાંની અછત થવા દેતા નથી.
તુલસીના માંજરના આ ઉપાયોથી ખુશ થશે માં લક્ષ્મી
ખુલી જશે કુબેરની તિજોરી
ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પણ મળે છે
જેમાંથી એક છે તુલસીના માંજરનો ઉપાય. જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, પરંતુ ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પણ મળે છે. આવો તમને જણાવીએ કે નવા વર્ષ 2023માં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાથી કયા ઉપાય તમારા માટે સર્વશ્રેષ્ઠ છે.
ઘરમાં લડાઈ-ઝગડા થાય છે તો કરો આ કામ
ઘરમાં દરરોજ લડાઈ-ઝગડા થાય છે અને કલકલાટનો માહોલ છે તો કોઈ શુભ દિવસે તુલસીના માંજર તોડી નાખો અને દરરોજ સવારે ગંગાજળમાં માંજરને નાખીને આખા ઘરમાં છાંટો. જેનાથી નકારાત્મક એનર્જી ગાયબ થઇ જશે. આ વાતનુ ધ્યાન રાખો કે માંજરના દાણા પગમાં ના આવે.
તુલસીના માંજરને બાંધી લો અને પૈસાવાળી જગ્યાએ મુકી દો
એક લાલ કપડામાં તુલસીના માંજરને બાંધી લો અને પૈસાવાળી જગ્યાએ મુકી દો. જેનાથી આખુ વર્ષ ખિસ્સુ ભરેલુ રહેશે. લાલ કપડામાં માંજરને બાંધતા પહેલા તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પિત કરી દો. વર્ષના પહેલા દિવસે આમ કરવાથી આખુ વર્ષ તમને નાણાની અછત નહીં થાય.
માતા લક્ષ્મીને તુલસીના માંજર ચઢાવો
જો તમને મહેસૂસ થઇ રહ્યું છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને પૈસાની તંગીથી ઝઝૂમી રહ્યાં છો તો વર્ષના નવા વર્ષ પહેલા શુક્રવારે માતા લક્ષ્મીને તુલસીના માંજર ચઢાવો. જેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થઇ જશે.
આનંદીત લગ્ન જીવન માટે કરો આ કામ
આનંદીત લગ્ન જીવન માટે નવા વર્ષના પહેલા દિવસે તમે શિવલિંગ પર માંજર મિલાવીને ચઢાવો. ભગવાન ગણેશ અને શિવ પર તુલસી અર્પણ કરવામાં આવતી નથી. પરંતુ માંજર ચઢાવવાથી ફાયદો થાય છે.