હિન્દુ ધર્મમાં તુલસી પૂજનની પરંપરા પ્રાચીન છે પરંતુ પુરુષોત્તમ માસ એટલે કે અધિકમાસમાં તુલસીની પૂજા કરવુ ખુબ પુણ્યનુ કામ માનવામાં આવ્યું છે. અધિક માસમાં તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
અધિકમાસમાં જાણો તુલસી પૂજાનુ મહત્વ
વિષ્ણુને પ્રિય છે તુલસી
ઘરમાં તુલસી રાખવાથી કલેશ દુર થાય છે
અધિકમાસમાં તુલસીનુ મહત્વ
અધિકમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા થતી હોય છે અને તુલસી વગર શ્રીહરિના ભોગને અધૂરુ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ હોવાથી પવિત્રતા રહે છે અને નકારાત્મકતા દુર થાય છે. અધિકમાસમાં તુલસી મંત્ર અને વિષ્ણુ મંત્રના જાપ કરવા જોઇએ. જેથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે.
તુલસીના પાનાને શુભ માનવામાં આવે છે
હિન્દુ માન્યતાઓ અનુસાર દરેક ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જળમાં તુલસીના પાન નાંખીને સ્નાન કરવાથી તીર્થ સ્થાન પર સ્નાન કર્યુ હોય તેટલુ જ પવિત્ર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આંગણામાં તુલસી હોવાથી ઘરમાંથી કલેશ દુર થાય છે, સાથે જ પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે.