ગુજરાતના સુરત શહેરમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગવાથી નિર્દોષ બાળકોના મોત થયા હતા. આગ લાગવાથી જે ઘટના બની હતી તેના ગુજરાત ભરમાં ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કોઈ પણ સુવિધા વિના આડેધડ રીતે ટ્યુશન ક્લાસ ચલાવવા આવી રહી હતા. ત્યારે સમગ્ર ઘટના બાદ સરકાર સફળી જાગી હતી અને તમામ ટ્યુશન ક્લાસ બંધ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારે પાલનપુરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ટ્યુશન ક્લાસ બંધ હતા.
સરકારની ગાઇડલાઈન પ્રમાણે ટ્યુશન સંચાલકો દ્વારા તમામ સુવિધા આપવાની વાત કરતા તેમને ચાલુ કરવા જણાવ્યું.પરંતુ તંત્ર દ્વારા એન.ઓ સી આપતા ના હોવાના કારણે હજુ ક્લાસ ચાલુ કરવામાં આવતા નથી ત્યારે સંચાલક દ્વારા કલેકટર ઓફિસ નજીકના બગીચામાં ટ્યુશન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં પણ તંત્ર દ્વારા ક્લાસ બંધ કરાવવામાં અવ્યા હતા ત્યારે સંચાલકો દ્વારા આજે સ્મશાનમાં ટ્યુશન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા.
જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સુરતમાં ટ્યુશન ક્લાસમાં બનેલી ઘટના બાદ તમામ ટ્યુશન ક્લાસ બંધ કરાવવા મા આવ્યા હતા અને ગાઈડ લાઈન મુજબ ફાયર સેફ્ટી તેમજ અન્ય વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું.ત્યારે ટ્યુશન સંચાલકો દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાયા છતાં એન ઓ સી ના મળતા આખરે ટ્યુશન ક્લાસ સોશીયલ મીડિયા થી ચલાવવામાં આવે હતા.
પાલનપુરના સ્મશાનમાં ક્લાસ
પરંતુ તેમાં પણ પૂરતી સફળતામાં મળતા સંચાલક દ્વારા કલેકટર નજીકના બગીચામાં બેસીને ટ્યુશન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં પણ તંત્ર દ્વારા ક્લાસ બંધ કરાવવા મા આવ્યા હતા. ત્યારે હવે ટ્યુશન ક્લાસ સંચાલકોએ નવી માર્ગ અપનાવી સ્મશાનમાં ક્લાસ ચાલુ કર્યા હતા. સંચાલકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે આગામી સમયમાં સ્પર્ધક પરીક્ષાઓ આવી રહી છે તેના માટે વિદ્યાર્થીઓ એ તૈયારી કરવાની છે.
જ્યારે આ બાબતે વિદ્યાર્થી એ જણાવ્યું હતું કે સુરત ની બનેલું ઘટના મા એમને દુઃખ છે પરંતુ જે રીતે અમારે ક્લાસ મા તૈયારીઓ કરવાની હોય છે તે થઈ શક્તિ નથી. પરીક્ષાઓ નજીક આવી રહી છે. ટ્યુશન ક્લાસ બંધ થવાથી અમારા અભ્યાસ ઉપર અસર પડી રહી છે.એટલે અમે સ્મશાન મા પણ અમે અભ્યાસ કરવા માટે તૈયાર છીએ.