વડોદરાની સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, દર્દીના પેટમાં ડાયાલિસીસ દરમિયાન રહી ગઇ નળી
વડોદરામાં સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારી
દર્દીના પેટમાં ડાયાલિસીસ વખતે નળી રહી જતા દર્દીની તબિયત બગડી
દર્દીના પેટમાં નળી રહી જતા દર્દીની હાલત ખરાબ
મુશ્કેલીના સમયમાં જો કોઇ આપણને યાદ આવે તો પહેલા ભગવાન અને ત્યાર બાદ ડોક્ટર. જી, હા ડોક્ટરને ભગવાનનુ બીજુ રૂપ કહેવામાં આવે છે. દર્દી સાજો થવાની આશાએ હોસ્પિટલનું પગથિયુ ચઢે છે પણ ઘણીવાર હોસ્પિટલમાં ભગવાન રૂપી ડોક્ટર નહી પરંતુ યમરાજા બેઠા હોય છે તેવુ કહેવુ ખોટુ નહી ગણાય. અવારનવાર ડોક્ટરોની બેદરકારીનો ભોગ દર્દીઓએ બનવો પડે છે. ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવી છે વડોદરાથી..
દર્દીના પેટમાં રહી ગઇ નળી, દર્દીની તબિયત ખરાબ
વડોદરામાં સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારી જોવા મળી. દર્દીના પેટમાં ડાયાલિસીસીસ દરમિયાન નળી રહી જતા દર્દીની હાલત ખરાબ થઇ ગઇ. ઘટનાને પગલે પરિવારે હોસ્પિટલ આવીને હોબાળો મચાવ્યો. કિશનવાડીના જયંતિ સોલંકીને કોરોના થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તબીબની બેદરકારીને કારણે દર્દીની તબિયત લથડી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. તો તબીબે પણ દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ જવા કહ્યું.
સરકારી દવાખાનાઓમાં આવી લાપરવાહી ક્યાં સુધી ?
ત્યારે અહીં સવાલ એ થાય છે કે ડોક્ટર આવી ભૂલ કેવી રીતે કરી શકે ? શું સરકારી દવાખાનાઓમાં આવી સારવાર મળે છે ? ડોક્ટરને એવી તો શેની ઉતાવળ હતી કે નળી પેટમાં જ રહી ગઇ. દર્દી તમને ભગવાનનું રૂપ સમજે છે અને તમે દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી બેસો તે કેવી રીતે ચલાવી લેવાય ? શું ડોક્ટર વિરુ્દ્ધ કરવામાં આવશે કાર્યવાહી ? સરકારી દવાખાનાઓમાં આવી અવારનવાર ઘટનાઓ બને છે. આવા લાપરવાહ ડોક્ટરોને લોકો સરકારી હોસ્પિટલોમાં સારવાર લેતા પણ ડરી રર્હ્યા છે.