આંધ્ર પ્રદેશના તિરુમાલા સ્થિત ભગવાન વેંકટેશ્વરના પ્રસિદ્ઘ તિરુપતિ બાલાજી મંદિરથી જોડાયેલા એક મોટા સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે ઇતિહાસમાં પહેલી વખત વેંકટેશ્વરના આ મંદિરને સતત 6 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. જી હા જાણકારી અનુસાર વેંકટેશ્વર મંદિર પરિસરમાં 11 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિર પ્રશાસને (TTD)આ નિર્ણય રવિવાર થયેલી બેઠકમાં લીધો.
આ કારણથી લેવામાં આવ્યો છે નિર્ણય:
કહેવામાં આવી રહ્યુ છે કે આ નિર્ણય મહાસંપ્રોક્ષમ અનુષ્ઠાન કરવા માટે લેવામાં આવ્યો છે જે દર 12 વર્ષે આવે છે. જાણકારી અનુસાર આ અનુષ્ઠાન દરમિયાન માત્ર પૂજારીઓને જ મંદિરના પરિસરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવશે જે મંદિરની સફાઇ શુદ્ઘિકરણ અને સમારકામનું કામ કરશે.
TTD બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે “આવું પ્રથમવાર બની રહ્યું છે કે કોઈ ધાર્મિક ક્રિયા દરમિયાન શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં પ્રવેશવાની અનુમતિ નહીં આપવામાં આવે.”દર 12 વર્ષે થનારા આ અનુષ્ઠાન દરમિયાન મંદિરમાં ભક્તોને થોડો સમય શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં પ્રવેશવાની અનુમતિ આપવામાં નથી આવતી પરંતુ આ વખતે મંદિરમાં શ્રદ્ઘાળુઓની ભીડ એટલી હદે વધી ગઇ છે જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ મંદિરમાં દરરોજ 1 લાખથી વધારે શ્રદ્ઘાળુઓ દર્શન કરવા માટે આવે છે.
ચંદ્રગ્રહણના કારણે જુલાઈમાં બંધ રહેશે મંદિર:
27 જુલાઈએ ચંદ્રગ્રહણ હોવાને કારણે પણ મંદિર બંધ રહેશે. 27 જુલાઈએ રાત્રે 11.54 કલાકે ગ્રહણ શરૂ થશે અને 28 જુલાઈએ પરોઢિયે 3.49 કલાકે પૂરું થશે. મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે 27 જુલાઈએ સાંજે 5 વાગ્યાથી બંધ થશે અને 28 જુલાઈએ સવારે 4.14 કલાકે દ્વાર ફરી ખોલાશે તેમ અધિકારીઓએ જણાવ્યું.