ભગવાન વેંકટેશ્વરને દાન માત્ર હિન્દુઓ જ નહીં પણ અન્ય ધર્મના લોકો પણ કરે છે. ઘણા સમયથી આ મંદરીની સંપતિ વિશે ચર્ચા ચાલી રહી હતી પણ મંદિરની કુલ સંપત્તિની સંપૂર્ણ વિગતો હવે હાથે લાગી છે.
તિરુપતિમાં આવેલ મંદિર વિશ્વની સૌથી અમીર હિન્દુ ધાર્મિક સંસ્થામાંથી એક
તિરુપતિ દેવસ્થાનમ પાસે કુલ 960 પ્રોપર્ટી
તિરુપતિ મંદિરની પાસે ઘણી મોટી કંપનીઓ કરતાં પણ વધુ સંપત્તિ
તિરુમાલા તિરુપતિમાં સ્થિત ભગવાન વેંકટેશ્વરનું મંદિર વિશ્વની સૌથી અમીર હિન્દુ ધાર્મિક સંસ્થામાંથી એક છે. આ મંદિર પાસે જેટલી જમીન છે એટલો જ આ મંદિરનો ખજાનો સોનાથી ભરેલો છે. આ પવિત્ર મંદિર પ્રત્યે ભક્તોની આસ્થા જ કઇંક એવી છે કે એ લોકો મંદિરને દાન સ્વરૂપે મોટી રકમની સાથે સાથે સોનું, ચાંદી અને પ્રોપર્ટી પણ આપી દે છે. દરરોજ અને દર મહિને દાનનો નવો રેકોર્ડ બને છે એમ કહી તો પણ ચાલે. જો કે ભગવાન વેંકટેશ્વરને દાન માત્ર હિન્દુઓ જ નહીં પણ અન્ય ધર્મના લોકો પણ કરે છે. ઘણા સમયથી આ મંદરીની સંપતિ વિશે ચર્ચા ચાલી રહી હતી પણ મંદિરની કુલ સંપત્તિની સંપૂર્ણ વિગતો હવે હાથે લાગી છે.
TTD Conducted Varaharchanam on the occasion of Sri Varaha Jayanti at Vasanta Mandapam in tirumala. pic.twitter.com/IIxuJMAOIN
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) August 30, 2022
તિરુપતિ દેવસ્થાનમ પાસે કુલ 960 પ્રોપર્ટી
સૌથી મોટી હિંદુ એન્ડોમેન્ટ સંસ્થા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે TTDએ વિશ્વભરમાં તેની 960 મિલકતોની જાહેરાત કરી છે અને આ મિલકતની સત્તાવાર કિંમત રૂ. 85,705 કરોડ છે. પણ હજુ આ આંકડો માત્ર સરકારી અંદાજ પર આધારિત છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કુલ સંપત્તિનું બજાર મૂલ્ય જોવામાં આવે તો આના કરતા દોઢ ગણું વધારે હોય શકે છે.
તિરુપતિ દેવસ્થાનમ પાસે આશરે 2 લાખ કરોડની પ્રોપર્ટી હોવાનો દાવો
ભલે સત્તાવાર આંકડાઓ અનુસાર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ પાસે માત્ર 85,705 કરોડ રૂપિયાની સંપત્તિનો દાવો કરવામાં આવ્યો છે પણ દોઢ ગણો વધુના હિસાબે આ પ્રોપર્ટી લગભગ 2 લાખ કરોડ રૂપિયા થાય છે. પહેલી વખત આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરતી સંસ્થાએ તેની સંપત્તિની વિગતો આપી છે. જણાવી દઈએ કે દેશની કેટલીક મોટી કંપનીઓના વેલ્યુએશન કરતાં પણ આ મંદિર સમૃદ્ધ છે.
એપ્રિલ પછી મળ્યું 700 કરોડનું દાન
છેલ્લા પાંચ મહિનામાં દાન દ્વારા મંદિરની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને એપ્રિલથી લઈને અત્યાર સુધી મંદિરને મળેલું કુલ દાન 700 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. લોકોને ભગવાન વેંકટેશ્વરમાં ખૂબ શ્રદ્ધા છે અને એટલે દાન પણ વધી રહ્યું છે. તેના કારણે TTDએ દેશના વિવિધ ભાગોમાં અને આ સાથે જ અમેરિકા સહિત અન્ય ઘણા દેશોમાં પણ મંદિરોનું નિર્માણ પણ શરૂ કરી દીધું છે.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించిన శ్రావణ వరలక్ష్మి వ్రతం. pic.twitter.com/jrqQG4iNQQ
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) August 5, 2022
7,123 એકરથી વધુ જમીન અને 14 ટન સોનું
તિરુમાલા મંદિર ટ્રસ્ટ પાસે દેશભરમાં 7,123 એકરથી વધુ જમીન છે. 1974 થી 2014 દરમિયાન રાજ્યની વિવિધ સરકારો દરમિયાન આ ટ્રસ્ટે 113 મિલકતો વેચી હતી અને 2014 પછી કોઈ સંપત્તિ વેચી નથી. આ સાથે જ મંદિરની વિવિધ બેંકોમાં રૂ. 14,000 કરોડથી વધુ રકમ જમા કરી છે. જ્યારે માત્ર તેની તિજોરીમાં જમા સોનાની વાત કરીએ તો તે લગભગ 14 ટન જેટલું છે.
તિરુપતિ મંદિરની પાસે ઘણી મોટી કંપનીઓ કરતાં પણ વધુ સંપત્તિ
તિરુપતિ મંદિરની પ્રોપર્ટીની સરખામણી દેશની કેટલીક મહત્વની કંપનીઓની કિંમત સાથે કરી તો ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માની માર્કેટ કેપ 2.2 લાખ કરોડ છે, જે ભારતમાં 26મા ક્રમે છે. બીજી તરફ વિપ્રોની કિંમત 2.16 લાખ કરોડ છે અને તે 27મા ક્રમે છે. અને અદાણી પોર્ટ અને સેઝની માર્કેટ કેપ 1.9 લાખ કરોડ સાથે 28માં નંબરે છે.