તહેવારોની સીઝન ચાલી રહી છે. આજે ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત કરતો રક્ષાબંધનનો તહેવાર છે અને સાથે જ શ્રાવણનો સોમવાર, તો આજે એવી ફરાળી ડિશ બનાવી શકાય જે ભગવાનના ભોગમાં, ભાઈને રાખડી બાંધવા અને સાથે જ શ્રાવણના સોમવારના ઉપવાસમાં પણ કામમાં આવે. તો જાણી લો નારિયેળની ખીરની રેસિપી અને ફટાફટ બનાવી લો તમારી રસોઈમાં.
ઘરે બનાવો નારિયેળની ખીર
શ્રાવણનો સોમવારે હોય કે રક્ષાબંધન બેસ્ટ છે રેસિપી
ઉપવાસીઓને ખુશ કરી દેશે લીલા નારિયેળની ખીર
સામગ્રી
અડધો કપ છીણેલું લીલું નારિયેળ
3 કપ દૂધ
પા કપ મિલ્ક પાવડર
એક નાની ચમચી એલચી પાવડર
એક નાની ચમચી ઘી
ખાંડ સ્વાદ અનુસાર
કેસરના તાંતણા (ઓપ્શનલ)
એક ચમચી બદામની કતરણ
રીત
એક વાસણમાં ઘી ગરમ કરો. હવે તેમાં બદામની કતરણને શેકી લો, હવે લીલુ નારિયેળ જેને તમે છીણીને રાખ્યું છે તેને તેમાં મિક્સ કરો અને સતત હલાવો. હવે તેમાં એલચીનો પાવડર અને દૂધ મિક્સ કરીને સતત હલાવતા રહો અને ચઢવા દો. દૂધ જ્યાં સુધી અડધું થાય ત્યાં સુધી મીડિયમ ગેસ પર આ પ્રક્રિયા ચાલુ રાખો. હવે તેમાં મિલ્ક પાવડરને મિક્સ કરી લો અને ખાંડ પણ ઉમેરી લો. આ બંને ચીજ નાંખ્યા બાદ તેને ફરીથી 5 મિનિટ સુધી ઉકાળો. હવે ગેસ બંધ કરી લો. તેને થોડી ઠંડી થવા દો અને પછી પીરસો. ઉપવાસમાં આ વાનગીથી પેટમાં ભાર પડશે અને તેનો સ્વાદ કાયમ તમને યાદ રહેશે.