મંગળવારે જો ભગવાન શ્રીગણેશની વિધિ-વિધાન સાથે પૂજા કરી અમુક વિશેષ ઉપાય કરવામાં આવે તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ કઈ રીતે મંગળવારે ભગવાન ગણેશને પ્રસન્ન કરશો.
શાસ્ત્રોમાં ભગવાન ગણેશનું અભિષેક કરવાનું વિધાન દર્શાવવામાં આવ્યું છે. કોઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે વિધ્નહર્તા ગણેશજીની પૂજા સૌ પહેલાં કરવામાં આવે છે. આ સિવાય પણ જો મંગળવારના દિવસે ભગવાન ગણેશનું અભિષેક કરવામાં આવે તો તેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.
મંગળવારના દિવસે તમારે શુદ્ધ પાણીથી ગણેશજીનું અભિષેક કરવું જોઇએ. સાથે જ ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરવો જોઇએ. ત્યાર પછી માવાના લાડુનો પ્રસાદ ધરાવી ભક્તોમાં વહેંચવો. આમ કરવાથી તમારી ઈચ્છા ઝડપથી પૂરી થશે. તમારી મુસીબતોના આધારે તમે આમાંથી કોઈ એક ઉપાય સાચી રીતે અને મનથી કરશો તો તમને તેનું ફળ ગણતરીના દિવસોમાં જ મળી જાય છે.
જો તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી રહી છે, તો તમારે ચોથના દિવસે હાથીને લીલું ઘાસ ખવડાવવું જોઇએ. સાથે જ ગણેશ મંદિર જઈને ભગવાન સામે મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે પ્રાર્થના કરવી જોઇએ. જેનાથી તમારા જીવનની મુશ્કેલીઓ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.
ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારી યંત્ર છે. ચોથના દિવસે ઘરમાં તેની સ્થાપના કરવી. ચોથના દિવસે આ યંત્રની સ્થાપના તથા પૂજા કરવાથી ખૂબ લાભ પ્રાપ્ત થાય છે. આ યંત્રના ઘરમાં રહેવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરતી નથી.
જો તમને ધનની ઈચ્છા હોય તો ચોથના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન ગણેશને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ગોળનો પ્રસાદ ધરાવો. થોડી વાર પછી ઘી તથા ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.
ચોથના દિવસે નજીકના કોઈ ગણેશ મંદિર જઈ ભગવાન ગણેશને 21 ગોળની ભેલી સાથે દૂર્વા રાખીને ચડાવો. આ ઉપાય કરવાથી ગણેશ પોતાના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે.