આગામી 7 નવેમ્બરના રોજ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસને દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. દિવાળી પૂર્વે ઘરમાં સાફ-સફાઈ થાય છે અને ત્યારબાદ ઘરમાં લક્ષ્મી પૂજા કરવામાં આવે છે.
આ સમયે જો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘર અને ઓફિસની સજાવટ કરશો તો તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ છૂમંતર થઈ જશે. આજે અમે જણાવશું કે કેવી રીતે સજાવવુ જોઇએ.
- ઘર તેમજ ઓફિસમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે ફૂલ-છોડ રાખવા જોઈએ.
- ઘર તેમજ ઓફિસના પૂર્વ ભાગમાં લાડકાના ફર્નીચર રાખવા જોઈએ.
- ઘરમાં મુખ્ય દરવાજાની સાઈઝ અન્ય દરવાજા કરતાં હંમેશા નાની રાખવી.
- આર્થિક સ્થિતી મજબૂત કરવા માટે મકાનમાં ઉત્તર દિશામાં નાનું એક્વેરિયમ રાખવું.
- ઓફિસ કે દુકાનમાં દક્ષિણ દિશામાં લાલ રંગનો વધારેમાં વધારે ઉપયોગ કરવો. તેનાથી વ્યવસાય ખૂબ વધે છે.
- માનસિક શાંતિ માટે ઘરમાં ચંદનની અગરબત્તી પ્રજ્વલિત કરવી.
- બેડરૂમમાં ફૂલ-છોડ રાખવા નહીં.
- ઘરમાં અગ્નિ વાયવ્ય કે નૈઋત્ય ખૂણામાં અરીસો રાખવો નહીં.
- બેડરૂમમાં અરીસો તેમજ પાણી ભરેલા પાત્ર રાખવા અશુભ છે. તેનાથ પતિ-પત્નીના સંબંધો બગડે છે.
- ઘરમાં રાખેલા ઓઝાર એવી રીતે રાખવા કે તેની ધાર ઘરની બહારની તરફ રહે.
દિવાળી પર ઉપર જણાવેલ ઉપાય કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ સો ટકા સુધરી જશે આ ઉપરાંત પણ ઘરમાં એકદમ શાંતિનુ વાતાવરણ રહેશે.