આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલના કારણે લોકો કંઈ પણ ખાઈ લેતા હોય છે. જેના કારણે પેટમાં ગેસ થવાની કે પછી એસિડિટીની સમસ્યા રહે છે. જેના કારણે પેટમાં દુઃખાવાની સમસ્યા પણ જન્મે છે. ક્યારેક ગેસના કારણે માથાનો દુઃખાવો થાય છે તો ક્યારેક છાતીનો દુઃખાવો થઈ જાય છે. જો તમે આ પ્રકારની તકલીફોથી ઝડપથી રાહત મેળવવા ઈચ્છો છો તો તમે કેટલાક સરળ અને ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. તેના માટે તમારે તમારા રસોડાની જ કેટલીક ચીજોનો ઉપયોગ કરવાનો રહે છે.
ગેસમાંથી રાહત આપશે આ ઘરેલૂ ઉપાયો
ગેસ બનવા માટે આ કારણો છે જવાબદાર
ગેસ થવાના કારણે સર્જાય છે અનેક સમસ્યાઓ
આ કારણોથી થાય છે ગેસ અને એસિડિટી
વધુ ખાટુ, તીખું, મસાલાવાળું ભોજન લેવાથી સાથે જ મોડી રાત સુધી જાગવું, પાણી ઓછું પીવું, ગુસ્સો, ચિંતા, ખુબજ વધુ સમય એક જગ્યા ઉપર બેસી રહેવું જે ગેસ બનવા લાગે છે. તેમના સિવાય થોડીક દાળ તેમજ શાકભાજી પણ એવી હોય છે જેનાથી ગેસ બનતો હોય છે. વધુ ચા પીવાથી પણ ગેસ બનતો હોય છે તેનાથી પેટ, પીઠ, છાતીમાં દુઃખાવો, માથામાં દુઃખાવો થવા લાગે છે અને ભૂખ ઓછી લાગે છે. ઓડકાર વધુ આવે છે. છાતી તેમજ પેટમાં બળતરા થાય છે. ચક્કર આવવા લાગે છે જેવી સમસ્યા થતી હોય છે. તેમના માટે ઘરેલુ નુસખાઓ તમારા કામ આવી શકે છે.
ગેસ અને એસિડિટી દૂર કરવાના આ છે ઘરેલૂ ઉપાય
લીંબુનો રસ તેમજ આદુ એક એક ચમચી લઈને ત્યારબાદ તેમા થોડું સંચળ મેળવી ને અને તેમને ભોજન કર્યા પછી ખાવાથી પાચન શક્તિ સારી થઈ જાય છે અને ગેસ જેવી સમસ્યા દૂર થઈ જાય છે.
અજમાનું ચૂર્ણ ગરમ પાણી સાથે ખાઓ તેનાથી ગેસમાંથી આરામ મળે છે.
રોજે બેથી ત્રણ નાની હરડે મોમાં રાખીને ચુસો તેનાથી ફાયદો થશે.
મેથીના દાણા અને ગોળનું પાણી મેળવીને ઉકાળી લો અને તે પાણીને ગાળી લો ત્યારબાદ તેને પી લો ગેસમાંથી આરામ મળે છે. (જે લોકોનું શરીર નબળું હોય ચક્કર આવતા હોય અથવા તો ગરમ તાસીર વાળી વસ્તુઓ પચતી ન હોય તો મેથીના દાણાનો વપરાશ ના કરો).
બે ચપટી પીસેલી લીલી હળદરમાં બે ચપટી નમક નાખીને ગરમ પાણી સાથે પીવો.
દળેલી હિંગ તેમજ સંચળ, નમક મેળવીને ગરમ પાણી સાથે ખાવો આરામ થશે.