રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના ઉજવવામાં આવે છે.
વર્ષમાં આવનારી કુલ 12 પૂનમમાં કાર્તિક પૂનમ પછી શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે આવનારી પૂનમનું સૌથી વધારે મહત્વ હોય છે. અમાસ અને પૂનમની તિથિનું હિંદૂ પરંપરામાં મહત્વ ઘણું છે. પૂનમનો સીધો સંબંધ દેવી લક્ષ્મીજી સાથે છે. આ દિવસ ધન સમુદ્ઘિ માટે તમે ઇચ્છો તો આ ઉપાયો કરી શકો છો.
- આ વર્ષે શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધન ગુરુવારના દિવસે આવે છે. એવામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી જીવનમાં ચાલી રહેલા મુશ્કેલીઓમાં રાહત મળે છે. આ ઉપાય પિતૃ દોષો અને ગ્રહોના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે કારગર માનવામાં આવ્યો છે. ચણાની દાળ, પીળું ચંદન, પીળા વસ્ત્ર દાન કરવાનું શુભ માનવામાં આવે છે.
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શ્રાવણ પૂનમના આ પવિત્ર દિવસે પીપળાના ઝાડને પાણી ચઢાવો અને માતા લક્ષ્મી પૂજા કરો અને ભોગ ધરાવો. આ સાથે જ માતા લક્ષ્મીને ઘરે આવવા માટે નિમંત્રણ આપો. આમ કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે આ સાથે જ સૌભાગ્યની વૃદ્ઘિ કરનારો ઉપાય માનવામાં આવે છે.
- રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂનમના દિવસે 11 કોડીઓને હળદળનો લેપ લગાવીને લક્ષ્મીજીની સામે રાખીને તેની પૂજા કરો. પૂજા પછી આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં અથવા તો કબાટમાં રાખો. આ ઉપાયથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કોડીઓને દેવી લક્ષ્મીજીની રૂપ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, કોડીઓ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ધન વૃદ્ઘિમાં મદદરૂપ થાય છે.
- જો ઘરમાં કોઇ માનસિક તણાવ અથવા તો માનસિક મુશ્કેલીઓથી પરેશાન છો તો શ્રાવણની પૂનમના દિવસે ખીર બનાવીને લક્ષ્મીજીને ભોગ ધરાવો. ગરીબ તથા જરૂરિયાત ધરાવતા લોકોને ખીરનો પ્રસાદ આપો. માન્યતા અનુસાર, આમ કરવાથી કષ્ટો દૂર થાય છે અને આ ઉપાયને સિદ્ઘિકારક માનવામાં આવે છે.
- રક્ષાબંધનના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી તથા સાથિયો બનાવો, જેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. આ સાથે દક્ષિણાવર્તી શંખ પર લક્ષ્મી મંત્ર લખો અને જપ કરવાથી ધન પ્રાપ્તિનો યોગ બને છે. આ શુભ યોગમાં ઘરમાં દક્ષિણવર્તી શંખની સ્થાપના કરવાથી ધન વૃદ્ઘિ થાય છે.
- રક્ષાબંધનના દિવસે પૂજાઘરમાં નારિયેળને સ્થાપિત કરવાથી માતા લક્ષ્મીજી ભક્તોને આશીર્વાદ આપે છે. પૂજામાં નારિયેળ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- શ્રાવણ મહિનાને ભગવાન શંકરનો માનવામાં આવે છે આ મહિનામાં ભગવાન શિવજીની પૂજા ફળદાયી માનવામાં આવે છે. શિવજીની પ્રસન્નતા માટે દૂધમાં ધી, દહીં, ગંગાજળ અને મધ ભેળવીને શિવજીની પૂજા કરો અને સફેદ ચંદન તથા સફેદ ફૂલ અર્પિત કરો. રાતના સમયે જ્યારે ચાંદ દેખાય ત્યારે ચંદ્રને દૂધ અને ખીરનો ભોગ ધરાવો. માન્યાત અનુસાર, આ ઉપાયથી ભગવાન શંકર ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને દુર્ભાગ્ય દૂર કરે છે.