આપણા ત્યાં એક કહેવત છે કે, જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. શિયાળામાં વિવિધ જાતના વસાણા ખાવાની ગુજરાતીઓની પરંપરા છે. તેની પાછળ તંદુરસ્તીના અનેક રહસ્યો છુપાયેલા છે. તમને થશે કે, તંદુરસ્તી અને વસાણાને વળી કેવો સંબંધ તો જાણી લો કે, આપણા વસાણા શરીરને શિયાળામાં ખડતલ બનાવી શક્તિ આપે છે.
શિયાળામાં રોજ ખાઓ આ 1 લાડુ
સાંધાના દર્દમાંથી મળશે રાહત
જાણો મેથીના લાડુ બનાવવાની સરળ રીત
સામાન્ય રીતે આદુ, સુંઠ, ઈલાયચી, ગંઠોડા વગેરે ગરમ પદાર્થ છે પણ તે ખુબ શક્તિતવર્ધક છે. આ પદાર્થો અન્ય ઋતુમાં ખાઈ ન શકાય તેથી શિયાળાની ઠંડીમા આ પદાર્થોનું સેવન કરવામાં આવે તો શરીર સશક્ત બને છે. તો આવો જાણીએ આજે મેથી લાડુ બનાવવાની રીત.
મેથી ખાસ કરીને ટેસ્ટમાં કડવી હોવાથી તે શરીર માટે લાભદાયી રહે છે. મેથી ખાવાથી શરીરના સાંઘાને લગતી તમામ તકલીફોમાંથી ઝડપથી રાહત મળે છે.કહેવાય છે કે જે લોકો શિયાળામાં મેથીના લાડુ ખાય છે તેને આખું વર્ષ સાંધાની તકલીફોમાંથી રાહત મળે છે. તો જાણો બનાવવાની સરળ રેસિપી.
સૌપ્રથમ અડધા ઘીમાં અડદ લોટ ધીમા તાપે શેકી લો. તે જ રીતે ઘઉંના લોટને ઘી ગરમ કરી બદામી રંગનો શેકી લો. હવે બાકીનું ઘી ફરી ગરમ કરી છીણેલો ગોળ ઉમેરવો. બેથી ત્રણ ઊભરા આવે ત્યા સુધી ગરમ થવા દેવો. હવે તેમાં બંને લોટ, સૂંઠ પાઉડર, બત્રીસુ તથા તમામ સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બધી જ સામગ્રી બરાબર એકરસ થઈ જાય એટલે તેના લાડુ વાળી લેવા. અને જો ના વાળવા હોય તો થાળીમાં ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ રેડીને બરાબર પાથરી દેવું. ટોપરાના છીણથી ગાર્નિશિંગ કરીને ઠરવા દેવું. ઠરી જાય એટલે તેને કટ કરીને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવું. જો લાડુ વાળ્યા હોય તો તેને નાળિયેરની છીણમાં રગદોળીને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા.
હવે રોજ સવારે ઉઠીને એક લાડુ ખાઈ લેશો તો આખો શિયાળો અને વર્ષ દરમિયાન સાંધાના દુઃખાવવામાં પણ તમને રાહત મળશે. તો કરી લો ટ્રાય.