અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. આ અવસરે ખાસ હેતુથી અયોધ્યાને પીળા રંગથી સજાવવામાં આવી છે. અયોધ્યા મંદિર જ્યાં છે તે યલો ઝોનમાં છે અને સાથે પીળા રંગનું હિંદુ ધર્મમાં પણ ખાસ મહત્વ છે. આ કારણે આ દિવસે પ્રસાદ પણ પીળા રંગનો રાખવામાં આવ્યો છે. જી, હા રામલલાને ભૂમિપૂજનના દિવસે ટ્રેડિશનલ પ્રસાદ એટલે કે મગસની લાડુડીનો ભોગ ધરાવાશે. તમે પણ આ દિવસે આ જ પ્રસાદ ઘરે બનાવીને ભગવાનને ભોગ લગાવી શકો છો, તો જાણી લો સરળ રેસિપી.
રામલલાને ધરરાવાશે પીળા રંગના પ્રસાદનો ભોગ
મગસની લાડુડી બનશે રામલલાનો ભોગ
મંદિરમાં પ્રસાદને લઈને થઈ છે ખાસ તૈયારીઓ
સામગ્રી
1 મોટો ચમચો ઘી
1 વાટકી ચણાનો કકરો લોટ
1 વાટકી ખાંડ
કાજુ બદામ ગાર્નિશ માટે.
રીત
સૌ પહેલાં ચણાના લોટને થોડું દૂધ લઈને સામાન્ય પલાળીને અડધો કલાક રહેવા દો. (સામાન્ય રીતે આને ધાબો દેવો કહેવાય છે.) હવે અડધો કલાક બાદ લોટને 2 હાથની મદદથી સારી રીતે છૂટો કરીને હલાવો. તેનાથી તે દાણાદાર બનશે. હવે એક પેનમાં ઘી મૂકી તેમાં ચણાનો લોટ નાંખી મિક્સ કરી થોડી વાર હલાવો. ચણાનો લોટ અને ઘી એકદમ મિક્સ થાય જાય ત્યાં સુધી તેને સતત ધીમા ગેસે હલાવતા રહેવું અને સારી રીતે બ્રાઉન થાય તેવું શેકવું. લગભગ 5થી 7 મિનિટ સતત હલાવવું. જેથી તે ચોંટે નહીં અને તેને સારી રીતે શેકી શકાય. જાય. ચણાનો લોટ બરોબર શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢીને 5 મિનિટ ઠંડું થવા દો. હવે તેમાં ખાંડ નાંખો અને અડધો કલાક રહેવા દો. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે તેના લાડુ વાળો. ઉપરથી બદામની કતરણ મૂકીને તેને સજાવી લો. તૈયાર થઈ જશે તમારા મગસના લાડુ. તમે પણ ઘરે જ ભગવાનને ભોગ લગાવી શકો છો.