દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગળાની નાની મોટી તકલીફો અને ખાંસીમાં ઘરેલૂ ઉકાળા તમારી મદદ કરે છે.
જો તમે પણ ઓફિસ કે અન્ય કોઈ કામે ઘરની બહાર જાઓ છો અને તમને પણ એક-બે દિવસથી ગળામાં દર્દ, ખારાશ કે ખાંસીની ફરિયાદ રહે છે તો તમે ઘરે બનાવેલા ખાસ ઉકાળાની મદદ લઈ શકો છો. આ સેફ રહે છે અને આયુર્વેદિક હોવાથી તમને ઝડપથી આડ અસર વિના રાહત આપે છે. તો આજે જાણો આ ખાસ ઘરેલૂ ઉકાળો બનાવવાની રીત.
મધમાંથી બનાવેલું સિરપ
સામગ્રી
- બે ચમચી મધ
- એક ચપટી સૂંઠ પાવડર
(સૂંઠ ન હોય તો આદુ લઈ શકો)
- તજ
- લીંબુના રસના ટીપાં
રીત
બે ચમચી મધ લઈને તેમાં એટલું પાણી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં એક ચપટી સૂંઠનું પાઉડર અને માર્શ મેલો રૂટ(એક પ્રકારની ઔષધી), તજ અને લીંબૂના રસના કેટલાક ટીપા મિક્સ કરી લો અને આ સિરપને સવાર-સાંજ પીવો.
આમ કરવાથી કોરોનાના દર્દીને ઝડપથી રાહત મળે છે અને સાથે જ ગળામાં થતા દર્દમાં પણ આરામ મળી જાય છે.