રોજ રોજ સવારના નાસ્તામાં શું બનાવવું તે પણ એક ગૃહિણીનો પ્રશ્ન હોય છે. બ્રેકફાસ્ટમાં હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો મળે તો સવાર સુધરી જાય છે. તો આ હેતુથી બનાવી લો કોથમીરના પરોઠા. જે બ્રેકફાસ્ટની સાથે બાળકોના ટિફિન માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે.
સવાર પડે અને નાસ્તામાં શું બનાવવું જે અલગ પણ હોય અને ટેસ્ટી પણ. સવારમાં નાસ્તો હોય, બાળકોના ટિફિન પણ. આ સમયે જો તમે કોથમીરના પરોઠા બનાવી લો છો તો તે તમારા માટે લાભદાયી ગણવામાં આવે છે. કોથમીર શરીર, વાળ અને આંખો માટે સારી ગણવામાં આવે છે. કોથમીરમાંથી તેમાં ફાઈબર, પ્રોટિન, મેંગેંનીઝ, પોટેશિયમ, કોપર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તે પાચન માટે પણ સારી ગણવામાં આવે છે. કોથમીરનો ઉપયોગ બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો હવે ટ્રાય કરી લો આ ગુણકારી કોથમીરના પરોઠાની રેસિપી.
સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને તેલ ઉમેરીને સરસ મજાની કણક બાંધી લો. લોટને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ એક બાઉલમાં સ્ટફિંગ માટેની જેટલી પણ સામગ્રી છે, તે બધી જ બરાબર મિક્સ કરી લો. હવે કણકમાંથી લુઆ લઈને રોટલી વળી લો. તેમાં વચ્ચે તૈયાર કરેલું પૂરણ મૂકીને ફરીથી બંધ કરીને વલી લો. ત્યારબાદ એક નોનસ્ટિક પેનને ગરમ કરો. તેમાં તૈયાર કરેલા પરાઠાને તેલ અથવા બટરમાં બંને બાજુ લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર ટેસ્ટી પરાઠાને ચા, દહીં કે અથાણા સાથે સર્વ કરીને તેની મજા લઈ શકો છો.